પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં ગણેશ વિર્સજન શોભાયાત્રા અને ઈદે મિલાદને લઈ શાંતિ સમિતીની બેઠક જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં મળી

હાલમાં પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં ગણેશ ચતુર્થી નો પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અગામી 12 મી સપ્ટેમ્બર ના રોજ ગોધરા શહેરમાં ગણેશ વિસર્જનની ભવ્ય વિસર્જન યાત્રા યોજાનાર છે, તેમજ આવનાર દિવસોમાં ઈદે મિલાદના તહેવારને અનુલક્ષીને પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષ સ્થાને ગોધરા શહેરના પોલીસ તાલીમ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગોધરા શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગોધરા શહેરમાં આગામી તા.12મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા સમગ્ર ગોધરા શહેરમાં નિકાળનાર છે. ત્યારે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં આવે તેમ જ આગામી દિવસોમાં ઇદે મિલાદનો તહેવારો હોવાને લઈને પંચમહાલ જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં દરેક ધર્મના લોકો સાથે પોલીસ તાલીમ કેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા.આ શાંતિ સમિતિની બેઠકમાં ડી.વાય.એસ.પી. એન.વી.પટેલ અને ડી.વાય.એસ.પી. બી.એલ.દેસાઈ તેમજ એસ.ઓ.જી.પી.આઈ. અને દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક સમાજના આગેવાનો દ્વારા આ શોભાયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થશે. તેવી જીલ્લા પોલીસતંત્રને ખાતરી આપવામાં આવી હતી.