શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, દાહોદ સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે સાંસ્કૃતિક સમિતિ અને વિદ્યાર્થી સમિતિ દ્વારા 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. બી.આર.બોદર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શિક્ષક અને શિક્ષણકાર્યના અનુભવો મેળવ્યા હતા. જેમાંથી શ્રેષ્ઠ કક્ષાના વિદ્યાર્થીઓને ક્રમ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે કોલેજના અધ્યાપકોએ સેવા આપી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ સહ આચાર્ય ડો. હરેશ પંચાલ તથા સાંસ્કૃતિક સમિતિના દરેક સભ્યો હાજર રહયા હતા. પ્રા. અનુરાધા શર્માએ સંચાલન સાંભળ્યું હતું.