વિરપુરના લીમરવાડા રામદેવ મંદિર ખાતે નેજા રોહણ કાર્યક્રમ યોજાયો

  • 221 ફૂટના નેજાનું સારીયા શેઢાના મુવાડાથી પ્રસ્થાન કરવામાં આવ્યું.
  • હર ઘરનેજા ઘર પર નેજા અભિયાન અંતર્ગત 200 (બસો ) નેજાનું વિતરણ કરવામાં આવ્યું,

લીમરવાડા નાથુસીંહના મુવાડા રામદેવ મંદિર ખાતે ભાદરવી બીજ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી. નકળંગ નેજાધારી બાર બીજના ધણી બાબા રામદેવપીરના સાનિધ્યમાં સૌ ભાવિભક્તો અને દર્શનાર્થીઓ ઉમટ્યા. લીમરવાડાના બસો ઘરે ઘર પર નેજા ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો હતા. નેજાધારીના રથની શોભાયાત્રા સારીયા થી નીકળી લીમરવાડાના પરા વિસ્તાર નાથુસિંહના મુવાડા રાજેણા થઇ ધોરવાડા રામદેવ મંદિર પરિક્રમાં કરી પરત રામદેવ મંદિર ખાતે પહોંચી. ત્યાં નેજા રોહણ કરી સર્વ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો અને પધારેલ સૌ ભાવિભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો મેળવ્યો હતો.