ઝાલોદ નગરપાલિકા દ્વારા રોગઅટકાયત અને સાવચેતીના પગલાં રૂપે સફાઈકામ અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો

રાજ્ય સહિત દાહોદ જીલ્લા અને ઝાલોદ શહેરમાં પડેલા વરસાદ બાદ રોગચાળા અટકાયત અને સાવચેતીના પગલાં રૂપે શહેરમાં પડતર કચરાનો નિકાલ, દવા છંટકાવ, ફોગીંગ, પાણીના ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. એમ નગરપાલિકાના ચીફ ઓફિસરએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ભારે વરસાદ બાદ જેના પગલે વરસાદ પહેલાં અને વરસાદ પછી પાલિકા તંત્રએ સફાઈ ઝુંબેશ, કલોરીનેશન, ફોગિંગ સહિતની કામગીરી માટે ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવી રહી છે. નગરની સાફ સફાઈ માટે સફાઈકર્મીઓ પુરી મહેનતથી શહેરની સફાઈમાં લાગેલા છે. એ સાથે ઝાલોદના મેઇન બજાર, સહિત વગેરે સ્થળોએ સફાઈ કરીને દવાનો છંટકાવ કરેલ છે.

Don`t copy text!