અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતનાં અધ્યક્ષ તરીકે પ્રો. નિરંજન પટેલની વરણીને આવકાર

  • GTPL ના પ્રોગ્રામ ડિરેક્ટર શૈલેષભાઈ પંડ્યાએ વરણીના વધામણાં કર્યા.

અખિલ ભારતીય સાહિત્ય પરિષદનાં ગુજરાત પ્રાંતનાં અધ્યક્ષ તરીકે પ્રો. નિરંજન પટેલની વરણી કરવામાં આવી છે. તે ખુશીમાં GTPL ના પ્રોગ્રામ ડિરેક્ટર શૈલેષભાઈ પંડ્યાએ વરણીના વધામણાં કર્યા છે. તા.31 ઓગસ્ટ અને 1 લી સપ્ટેમ્બરનાં રોજ વડતાલ સ્વામિનારાયણ મંદિર તથા અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ જીલ્લાનાં સંયુક્ત ઉપક્રમે મહિલા સાહિત્યકાર સંમેલન યોજાયું હતું. જેમાં ભારતભરના 19 જેટલાં રાજ્યો માંથી 158 થી વધુ મહિલા સાહિત્યકારો ઉપસ્થિતિ રહી હતી. જેમાં ગુજરાત પ્રાંતનાં અધ્યક્ષ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રોફે.ડો.નિરંજન પટેલની વરણી થતાં પ્રસિદ્ધ ચેનલ GTPL ના પ્રોગ્રામ ડિરેક્ટર શૈલેષભાઈ પંડ્યા “ભીનાશ” દ્વારા અભિનંદન પાઠવી વધામણાં કર્યા છે. આ સાથે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ તથા યુનિવર્સિટીનાં સૌ પરિવારજનોએ પણ ખૂબ શુભેચ્છાઓ છે.

Don`t copy text!