બાર ટન માસની ટેમ્પામા હેરફેરના આરોપીઓને કાલોલ કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ આપ્યો

ગત તા. 09/11/2013 નારોજ વેજલપુર પોલીસ દ્વારા ગોધરાથી ગેરકાયદેસર રીતે મોટા પશુઓની કતલ કરી પોતાના ફાયદા માટે બાર ટન જેટલા માસનો જથ્થો આઇશર ટેમ્પોમાં ભરીને પૂરઝડપે આવી રેલીંગ તોડી ટ્રેલરને અથડાવી માંસનુ પરિવહન કરતા ઝડપાયુ હતું. જેમાં કુલ ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી ચાર્જશીટ ફાઇલ કરી હતી. જેમા યામીન ઘાંચી (એબેટ) સુલેમાન ઈશાક હસન રે. ગોધરા અને મુસ્તુફા ગફુરભાઈ મન્સુર રે અમદાવાદ કે જેઓ ટેમ્પા સાથે પકડાયેલ તેઓ સામે પશુ સંરક્ષણ અધિનિયમ અને મોટર વ્હીકલ એક્ટ તથા ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

જેનો કેસ કાલોલના એડી ચીફ જ્યુ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે એડવોકેટ પી.આર. પટેલ હાજર રહી દલીલો કરી હતી. ફરિયાદ પક્ષે ગુનાની તપાસમા ખુબ ત્રુટી દાખવી હોવાના અવલોકન સાથે કોર્ટે નોધ્યું છે કે, ફરિયાદમાં બન્ને પંચો હોસ્ટાઇલ થયા હતા. આરોપીઓની ઓળખ પરેડનું કોઇ પંચનામુ કરવામાં આવ્યું નથી. તપાસ કરનાર અમલદારે કોઇ સ્વતંત્ર સાહેદો ના નિવેદન લીધા નથી. ઉલટ તપાસમાં ટેમ્પાના ચાલકનું નામ જણાવેલ નહી હોવાનુ તેમજ ક્યા વાહનમાં બેસી ગયા હતા, તે નિવેદનમાં જણાવેલ નથી, તે હકીકત સ્વીકારી છે.

ટેમ્પાના માલિકી હક્ક અંગેનો કોઇ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. તેથી ફરીયાદ પક્ષ મૌખિક અને દસ્તાવેજી પુરાવા દ્વારા આરોપીઓ વિરૂદ્ધનો ગુનો નિ:શંકપણે પુરવાર કરી શકેલ ન હોઈ કાલોલના ચીફ જ્યુ મેજીસ્ટ્રેટ એસ.એસ.પટેલ દ્વારા સીઆરપીસી કલમ 248(1) મુજબ આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો છે.

Don`t copy text!