આઈ.ટી.આઈ. પલાણા એડમિશનની તા. 30/09/2024 સુધી લંબાવવામાં આવી

આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા, પલાણાની યાદી જણાવે છે કે ઔધોગિક તાલીમ સંસ્થા પલાણા ખાતે પ્રવેશ સત્ર ઓગષ્ટ-2024 થી શરૂ થનાર (વહેલા તે પહેલાને ધોરણે) ચોથા રાઉન્ડમાં આઈ ટી આઈ પલાણા ખાતે પ્રવેશ મેળવવા તા. 3/09/2024 થીતા.30/09/2024 સુધી સવારે 10:00 થી 3:00 કલાક સુધીમાં ફોર્મ ભરી મેરીટ અનુસાર રોજ સાંજે 4:00 થી 6:00 કલાકમાં પ્રવેશ આપવામાં આવશે. આઈ.ટી.આઈ કરવા ઈચ્છુક ઉમેદવારોએ તમામ ડોકયુમેન્ટ તથા જરૂરી ફી લઈને આઈ.ટી.આઈ પલાણાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

તથા ખાલી રહેલ બેઠકો જેવા કે ટ્રેડ કોપા, હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર, મિકે.ડીઝલ, ટર્નર, વેલ્ડર, એમ.એમ.વી, સર્વેયર મશીનિષ્ટ, ટર્નર, સુઈંગ ટેકનોલોજી, પીપીઓ, ડીસી, ટુ વ્હીલર ઓટો રીપેરીંગ, આમેચર મોટર રીવાઈન્ડીંગ, આઈ.ઓટી. સ્માર્ટ સીટી, એઓસીપી ટ્રેડમાં એડમિશન મળશે.

Don`t copy text!