કટકી ખાનારા કોન્ટ્રાક્ટરોને શંકર ચૌધરીની કડક શબ્દોમાં ચેતવણી,કોઈ રૂપિયા માંગે તો મને કહેજો

બનાસકાંઠાના થરાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિધાનસભા અયક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ કોન્ટ્રાકટરોને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, કામમાં કચાશ રાખશો તો સીધા ઘર ભેગા થશો.

થરાદમાં વિકાસના કામોના ખાત મુહૂર્ત દરમ્યાન વિધાનાસભાના અયક્ષ શંકર ચૌધરીએ કોન્ટ્રાકટરોને ચેતવણી રૂપ ટકોર કરી હતી. તેમણે જાહેરમાં કહ્યું કે, કોઈ રૂપિયા માંગે તો મને કહેજો બાકી કામમાં કોમ્પ્રોમાઇઝ હશે તો બ્લેક લિસ્ટમાં જશો. અહી તમારી પાસેથી એક રૂપિયો માંગે તો મને કહેજો પરંતુ જો કામમાં લાપરવાહી દાખવી તો બ્લેકલિસ્ટેડ થશો. તમારું કંઈ નહિ થાય. આ કામ આટલેથી અટક્તુ નથી. હજી ઘણા કામ આપણને કરવાના છે. કાર્યક્રમમાં તેઓએ ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાની વાત કરી હતી. તેમણે કટકીબાજ કોન્ટ્રાક્ટરોને ચેતવ્યા હતા. સાથે જ તેમણે કોન્ટ્રાક્ટરોને કહ્યું કે કામમાં કચાશ રાખશો તો સીધા ઘરભેગા થશો, તેમણે કહ્યું કે કોઇ રૂપિયા માંગે તો મને કહેજો પરંતુ જો કામમાં લાપરવાહી દાખવી તો બ્લેકલિસ્ટેડ થશો.

Don`t copy text!