અગાઉ લાંચ પ્રકરણમાં અપ્રમાણસર મિલ્કતો ધરાવનાર પંચમહાલની પ્રદુષણ નિયંત્રણ કચેરીના અધિકારી સાઘુની ભુજના માંડવીથી અટકાયત

  • જે તે સમયે ફરિયાદી પાસેથી રૂ.૧,૨૦,૦૦૦ની રકમ સ્વીકારી હતી.
  • ચાર ચાર વર્ષથી અઈઇ દ્વારા અપ્રમાણસર મિલ્કત અંગે તપાસ હાથ ધરી હતી.
  • ફરજ દરમ્યાન જાહેર સેવક તરીકેનો હોદ્દાનો દુરઉપયોગ.
  • ઈરાદાપૂર્વક ધનવાન થવા નાણાં મેળવીને સ્થાવર તથા જંગલ
  • મિલ્કતોમાં રોકાણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
  • લાંચિયા અધિકારી સાઘુની ભુજ ખાતેથી અટકાયત કરી ગોધરા લવાયા.
  • કોરોનાના પરિક્ષણ બાદ વધુ પુછપરછ અંગેની એસીબી એ તપાસ આગળ ધપાવી.
  • જીલ્લાની કચેરીઓમાં દિનભર ચર્ચાનો વિષય સાથે અન્ય લાંચિયાઓમાં ફફડાટની લાગણી.

ગોધરા,
વર્ષ ૨૦૧૭માં પંચમહાલ જીલ્લા પ્રદુષણ નિયંત્રણ કચેરીમાં પ્રાદેશિક અધિકારી ગિરજાશંકર સાધુ લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. તેઓના મિલ્કતોની તપાસ બાદ આવક કરતાં રૂ .૬૮,૨૪,૩૫૭ એટલે ૫૩.૫૧ ટકા મિલ્કતો અપ્રમાણસર આવક થકી જાહેર સેવક તરીકેનો હોદ્દાનો દુરઉપયોગ કરીને અપ્રમાણસર મિલ્કત મેળવ્યાનું બહાર આવતાં તેઓ વિરૂદ્ધ અગાઉ એસીબી પંચમહાલ દ્વારા ગુનો દાખલ કરીને આજે વધુ તપાસ અર્થે ભુજના માંડવી ખાતે થી અટકાયત કરી ગોધરા લવાતા લાંચિયા કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી પંચમહાલની ગોધરા કચેરીમાં પ્રાદેશિક અધિકારી વર્ગ-૧ તરીકે ફરજ બજાવતા ગીરજાશંકર મોહનભાઈ સાધુ એ ફરિયાદીના ડીમીનરલાઈઝ વોટર પ્લાન્ટ શ‚ કરવાનો ઓબ્જેકશન સર્ટીફિકેટ આપવાના અવેજે પેટે રૂ .૮૦ હજાર અને દર ત્રણ માસે ફેકટરી ખાતે આવી હેરાનગતિ નહી કરવાના રૂ.૪૦ હજાર મળીને કુલ રૂ.૧.૨૦ લાખની લાંચની માંગણી કરી હતી. જેથી લાંચની માંગણી સ્વીકારતા ઝડપાઈ ગયેલ ગીરજાશંકર સાઘુ સામે ગોધરામાં ગત તા.૨૨/૦૩/૨૦૧૭ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેઓની ઘરપકડ બાદ જામીન મુકત થતા એડીશન સેશન્સ કોર્ટ ગોધરા સમક્ષ સરન્ડર કરેલ હતા. આરોપી અધિકારીની લાંચીયાવૃતિને અનુલક્ષીને અપ્રમાણસર મિલ્કત અંગે તપાસ હાથ ધરી કુટુંબીઓના મિલ્કત દસ્તાવેજો તથા વિવિધ બેંક ખાતાઓની એસીબીના નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્ર્લેષણ હાથ ધરાયું હતું. આ તપાસમાં પારદર્શકતા લાવવા માટે તેઓના તથા તેમના કુટુંબીઓ, સંબંધીઓના વિડીયોગ્રાફી સાથેના નિવેદનો નોંધવામાં આવેલ હતા. પ્રાથમિક વિગતવાર ઝીણવટભરી તપાસ બાદ ગીરજાશંકર સાઘુ (હાલ પર્ંયાવરણ ઈજનેર, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ) અગાઉ પંચમહાલ પ્રાદેશિક કચેરીમાં ફરજ બજાવતા હોઈ તેઓની ચેક પિરીયડ રકમોના આધારે તા.૧/૪/૨૦૧૧ તા. ૩૧/૦૩/૨૦૧૭ સુધીની શોધી કાઢેલ મિલ્કતો તથા આવક ખર્ચની રકમોના આધારે ગણતરી કરતા આપેક્ષિત દ્વારા રૂ.૬૮,૨૪,૩૫૭ની એટલે ૫૩.૫૧ ટકા જેટલી કાયદેસરની આવકની સરખામણીમાં તેઓએ વસાવેલ સ્થાવર જંગમ મિલ્કત તથા કરેલ રોકાણ/ખર્ચ રકમની વધુ વસાવેલ હોવાનું જણાય છે. તપાસ દરમ્યાન આક્ષેપિત દ્વારા આ વર્ષ દરમ્યાન રૂ.૨૨,૪૧,૦૦૦ રોકડા રકમનો ઉપાડલ કરેલ છે. અને રૂ.૨૪,૭૫,૮૮૪ રોકડા રકમ જમા કરાવેલ છે. આ અગાઉ ફરજ બજાવતા આ આક્ષેપિત દ્વારા તા.૧/૪/૨૦૧૧ થી ૩૧/૦૩/૨૦૧૭ના ચેક પીરીયડ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેનો હોદ્દાનો દુરઉપયોગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદે પોતે ઘનવાન થવા માટે નાણા મા ંગણી તથા નાણાનો સ્થાવર/ જંગમ મિલ્કતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલ્કતો જણાઈ આવેલ છે. આમ ગીરજાશંકર સાધુ પ્રાદેશિક અધિકારીએ પોતાની ફરજ દરમ્યાન પોતાની કાયદેસરની આવકના સ્ત્રોતમાંથી મેળવેલ આવક કરતા રૂ.૬૮,૨૪,૩૫૭ એટલે ૫૩.૫૧ ટકા જેટલી મિલ્કતો રોકાણ (ખર્ચ) વધુ કરેલ હોવાનંું જણાતા તપાસ અધિકારી એ અગાઉ આક્ષેપિત ગીરજાશંકર મોહનભાઈ સાધુ તથા અન્ય વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીય મુજબ ગુન્હો દાખલ કર્યો હતો અને આ ગુનાની તપાસ આર.આર.દેસાઈ પોલીસ ઈન્સ્પેકટર, પંચમહાલ એસીબી, ગોધરા એ વધુ તપાસ હાથ ધરીને આજે શુક્રવારે ભુજના માંડવી ખાતેથી તેઓની અટકાયત કરીને નિયમોનુસાર હાલની મહામારી કોરોનાના પરીક્ષણબાો ગોધરા ખાતે લવાઈને જ‚રી પુછપરછ હાથ ધરી હતી. અને આગળની તપાસ કામગીરી શ‚ કરાતા દિનભર જીલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કેટલાક લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાઓ વચ્ચે ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.

Don`t copy text!