મારા નામનો ખોટી રીતે ઉપયોગ કરાય છે ’, મેધા પાટકરે ભાજપના આક્ષેપો પછી તોડ્યું મૌન

નવીદિલ્હી,

ગુજરાતની ચૂંટણીમાંપહેલા આમ આદમી પાર્ટી ના પૂર્વ નેતા મેધા પાટકરએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ પર નિશાન સાયું છે. તેમણે કહ્યું કે, તે મારા નામનો કેમ ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે? ભાજપના નેતાઓનો ઉલ્લેખ કરતા મેઘા પાટકરને પૂછ્યું કે, તે અમારા નામથી લોકોને અપીલ કેમ કરી રહ્યા છે કે, લોકો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને વોટ ન આપે, શું તે ડરી ગયા છે કે લોકો તેમને વોટ નહીં આપે?

નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકર ગત સપ્તાહે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયા. તે પછી પીએમ મોદીએ ધોરાજીમાં એક ચૂંટણી સભા દરમિયાન તેના માટે કોંગ્રેસની ટીકા કરી હતી. પીએમ મોદીએ રાહુલને વિકાસ વિરોધી જણાવ્યા હતા. મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે, તમે નર્મદા યોજનાનો વિરોધ કરનારા લોકોની સાથે કોંગ્રેસના એક નેતાની તસવીર ન્યૂઝ પેપરોમાં જોઈ હશે. તેમણે કહ્યું કે, ’નર્મદા યોજનામાં અડચણ લાવનારા લોકો અંગે વિચારો, નર્મદા કચ્છ અને સૌરાષ્ટ્રમાં આપણા લોકો માટે પીવાનું પાણી લાવવાનો એકમાત્ર રસ્તો હતો. ત્રણ દાયકા સુધી એ પાણીને રોકવા માટે તે કોર્ટ ગયા, આંદોલન કર્યા. તેમણે ગુજરાતને બદનામ કરવામાં કોઈ ક્સર બાકી રાખી ન હતી. પરિણામ એ થયું કે, વિશ્ર્વ બેંક સહિત દુનિયામાં કોઈપણ ગુજરાતને રૂપિયા ઉધાર આપવા તૈયાર ન થયું. કાલે કોંગ્રેસના એક નેતા એ બહેનના ખભે હાથ મૂકીને પદયાત્રા પર નીકળ્યા હતા, જેમણે આ આંદોલનની આગેવાની કરી હતી.’ પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, જેપી નડ્ડાએ પણ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવા બદલ કોંગ્રેસ અને મેધા પાટકર પર નિશાન સાયું હતું.

મેધા પાટકર એક સામાજિક કાર્યર્ક્તા છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા છે. આ આંદોલન પછી તેઓ ચર્ચામાં આવ્યા. તેમના માતા-પિતા પણ સામાજિક કાર્યર્ક્તા હતા. તેઓ સ્વતંત્રતા આંદોલનમાં પણ સામેલ રહ્યા. મેધાએ સોશિય સાયન્સમાં એમએ કર્યું છે. અભ્યાસ પછી તેઓ મુંબઈની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોની સેવા કરવામાં લાગી ગયા. ૨૮ માર્ચ, ૨૦૦૬એ નર્મદા નદી પર બની રહેલા બંધના વિરોધમાં તેઓ ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં નર્મદા પર બની રહેલા બંધને રોકવા અરજી પણ કરી હતી. તે પછી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. ૧૩ જાન્યુઆરી, ૨૦૧૪એ તે આપમાં જોડાયા. તેઓ મુંબઈની ઉત્તર પૂર્વ બેઠકથી ૨૦૧૪માં લોક્સભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જોકે, એક વર્ષ પછી ૨૦૧૫માં આપમાંથી યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને કાઢી મૂકાયા બાદ મેધાએ પણ પાર્ટી છોડી દીધી.