ગોધરા તાલુકાના વેલવડ ગામે 27 વર્ષીય યુવાન કોઇ કારણોસર તળાવમાં પડી જતાં મોત

ગોધરા તાલુકાના વેલવડ ગામે રહેતા 27 વર્ષીય યુવાન ભેંસો ચરાવવા ગયેલ હોય દરમિયાન તળાવના પાણીમાં પડી મરણ ગયેલ હાલતમાં મળી આવતાં કાંંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના વેલવડ નવાધરા ફળીયામાં રહેતા ખુમાનસિંહ ઉર્ફે મોનો વજાભાઇ મકવાણા ધરેથી ભેંસો ચરાવવા માટે નિકળેલ હતો અને ન્હાવા પડતા અથવા કોઈ કારણોસર તળાવના પાણીમાં ડુબી જતાં મરણ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.