ઝાલોદ કોલેજમાં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી

શ્રી કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ ખાતે કોલેજમાં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ એસ.આર.રાવ ઉપસ્થિત રહી ધ્વજારોહણ કર્યું હતું. તેમજ એસ. આર. રાવ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય મધુકર પટેલ સહિત તમામ કોલેજ પરિવારના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કોલેજના એન.સી.સી. વિદ્યાર્થીઓએ પરેડ કરી હતી. તેમજ એન.એન.એસ.ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત ઉપર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.