શ્રી સહજાનંદ કોલેજ સંતરામપુર ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

સમગ્ર દેશ 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે નિષાદ રાજ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સહજાનંદ કોલેજ સંતરામપુર ખાતે કોલેજના પ્રમુખ ડો. વસંતીબેન કલાસવાના વડપણ હેઠળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંતરામપુર નગર કાર્યવાહક કમલેશભાઈ મછારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો. મુખ્ય વક્તા તરીકે સ્વામી વિવેકાનંદ કેન્દ્રના કાર્યવાહક ભરતભાઈ ચૌહાણે સ્વાતંત્ર્ય પર્વ વિશે પ્રસંગોચિત ઉદબોધન કરીને સૌને આઝાદી પહેલાં અને હાલની સ્થિતિ થી વાકેફ કર્યા હતા. આઝાદીની ચળવળમાં શહીદી વહોરનારા શહીદોને યાદ કર્યા હતા.

જેમાં માનગઢ હિલમાં અસંખ્ય આદીવાસી બહાદુર લોકો એ હોંશે હોંશે પોતાના બલિદાનો આપ્યા હતા. તેમને આદરભાવ પૂર્વક આ પ્રસંગે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કોલેજના પટાંગણમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અંતે કોલેજના આચાર્ય સંજયભાઈ પારગીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત કોલેજના પટાંગણમાં સ્ટાફ ગણ, આમંત્રિત મહેમાનો તેમજ બાળકો ધ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ‘જેમ એક ર્માં એક બાળકનું જતન કરે’ તેમ સૌ કોઈ એક પેડ – વૃક્ષ નું જતન કરે તેવું આહવાન કર્યુ હતું.

જેમાં સમગ્ર મંડળના ટ્રસ્ટીગણ, સંતરામપુર તાલુકા યુવા ભાજપ મંત્રી વિશાલ પરમાર, નરસિંગપુર સરપંચ રમેશ સંગાડા, ગાડીયા સરપંચ સુરેશ કલાસવા, બીજેપી એસ.ટી. મોરચા પ્રમુખ ઈશ્વરભાઈ કલાસવા તેમજસમગ્ર કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને આજુબાજુના વડીલો સૌ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. ધર્મેન્દ્ર વડેરા અને પ્રોફેસર નિમેષ કટારાએ કર્યું હતું.