ઘઉના સ્ટોક જાહેર કરવા બાબત

ભારત સરકાર તથા ગુજરાત સરકારના અન્ન, જાહેર વિતરણ અને ગ્રાહક સુરક્ષા વિભાગ ધ્વારા ઘઉંની સંગ્રહખોરીને નિયંત્રિત કરવા માટે સ્ટોક લીમીટ દાખલ કરેલ છે. જે અનુસાર જીલ્લાના ઘઉના સ્ટોક હોલ્ડર્સ જેમ કે ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, બીગ ચેઈન રીટેઈલર્સ, પ્રોસેસર્સ કે અન્યને ભારત સરકારની વેબસાઈટ https://eyegoils.nic.in/wsp/login પર રજીસ્ટર કરવા અને તેમની પાસેના ઘઉના સ્ટોકને મે.ટનમાં (M.T.) અઠવાડિક (દર શુક્રવારે) ઉકત વેબસાઈટ પર જાહેર કરવા જણાવેલ છે. જે કોઈ સ્ટોક હોલ્ડરએ ઉપર મુજબનુ રજીસ્ટ્રેશન કરેલ ન હોય તો તાત્કાલીક ભારત સરકારના ઉકત પોર્ટલ પર તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઘઉની આ સ્ટોક મર્યાદા 31 માર્ચ 2025 સુધી અમલમાં રહેશે.

જો કોઈ સ્ટેક હોલ્ડર્સ પાસે નિર્ધારીત કરેલ ઘઉંના સ્ટોક લીમીટ કરતા વધુ સ્ટોક જણાય તો તેમણે ભારત સરકારની વેબસાઈટ https://evegoils.nic.in/wsp/login પોર્ટલ પર જથ્થો જાહેર કરવા તથા ભારત સરકારના જાહેરનામાં No.S.0.2428(E), તારીખ 24-06-2024ના મુજબ 30 દિવસની સમયમર્યાદામાં વધારાનો સ્ટોક નિર્ધારીત મર્યાદામાં લાવવાનું નકકી થઈ આવેલ છે. જે મુજબ ઘઉંની સ્ટોક મર્યાદા વિવિધ સ્ટોક હોલ્ડરની મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈને દાહોદ જીલ્લાના અનાજના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, પ્રોસેસર્સને જણાવેલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી સ્ટોક જાહેર કરવાજીલ્લા પુરવઠા અધિકારી દાહોદ દ્વારા જણાવાયું છે.