ભારે વરસાદથી સંતરામપુરની ચિબોટા નદી બે કાંઠે

વહેલી સવારથી મહીસાગર જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સંતરામપુર શહેર માંથી પસાર થતી ચીબોટા નદીમાં નવા નીરની આવક થઈ છે. ચીબોટા નદી હાલ બંને કાંઠે વહી રહી ભારે વરસાદના કારણે કાચા મકનાની દીવાલ ધરાસા ધોધમાર વરસાદને લઈ અનેક સ્થળેથી નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે જીલ્લાના કડાણા તાલુકાના નવી ગોધર ગામે એક કાચા ઘરની દિવાલ ધરાસાય થઈ હતી. ધોધમાર વરસાદના કારણે એકાએક મકાનની દિવાલ ધરાસાય થઈ છે. સદનસીબે આ ઘટનામાં કાચા મકાનમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો છે. આ મકાનમાં અંદાજીત સાત જેટલા લોકો રહેતા હતા. જેઓનો આબાદ બચાવ થયોવરસાદ પડતા જ દર માંથી સાપ બહાર નીકળ્યા.

મહીસાગર જીલ્લામાં એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બીજી બાજુ સરિસૃપ જીવો પણ વરસાદના પાણીમાં દરમાંથી બહાર નીકળી રહ્યા છે. ત્યારે આજે લુણાવાડા તાલુકા પંચાયતની સામેની દુકાનમાં એક ધામણ સાપ નીકળ્યો હતો. પર્યાવરણ પ્રેમી મુકેશ પટેલે આ સાપનું રેસ્ક્યુ કરી દૂર સલામત સ્થળે છોડી મૂક્યો હતો. ઉલ્લેખનીયા છે કે, ધામણ સાપ એ બીનજેરી પ્રજાતિનો સાપ કહેવાય છે. પરંતુ તેનું કદ અને આકાર જોતાં જ લોકો ડરી જતા હોય છે.

તો આજે વહેલી સવારે લુણાવાડા શહેરની પ્રણામી સોસાયટીમાં પણ બે થી ત્રણ જગ્યાએ રહેણાંક વિસ્તારમાં સાપ ઘૂસી આવ્યાની ઘટનાઓ સામે આવી છે. જવાનો માર્ગ કોઝવે પર પાણી ફરી વળતા બંધ થયો સંતરામપુર માં વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઇ અનેક નદી નાળાઓ છલકાયા છે. સંતરામપુર તાલુકાના છેવાડે આવેલ નાની ભુગેડી ગામ જવાનો કોઝવે હાલ પાણીમાં ઘડકાવ થયો છે. દાહોદ જીલ્લાના સંજેલી તરફ જવાનો માર્ગ કોઝવે પર પાણી ફરી વળવાના કારણે બંધ થયો છે. સુખી નદીના પાણી કોઝવે પર ફરિવળતા રોડ બંધાયો છે. સંતરામપુર તાલુકામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દાહોદ અને મહીસાગર જીલ્લાના સરહદે આવેલું ગામ કોઝવે પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું છે.કોઝવે પર નદીના પાણીના પ્રવાહમાં ઝાડ પણ ધસી આવ્યા છે.બીજી તરફ સીઝનમાં પ્રથમ વખત સુખી નદીમાં પુર આવતા ગ્રામજનો પણ કોઝવે ખાતે નવા નીર જોવા માટે પોહચ્યા હતા.

જે રીતે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી જ મહીસાગર જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત જીલ્લાના અન્ય તાલુકા ખાનપુર સંતરામપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. અને ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ચાર કલાકમાં સાડા 5ઇંચ વરસાદે જ્યાં જુવો ત્યાં પાણી પાણી કરી દીધું છે. શહેરમાંથી પસાર થતાં મુખ્ય સ્ટેટ હાઇવે હાલોલ શામળાજી રોડ પરના કે જ્યાં હાઇવે માર્ગ પર ભારે પાણી ભરાયા છે. જેના કારણે આખો હાઇવે પાણીમાં ગરકાવ થયો છે. બીજી તરફ લુણાવાડા શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, ગોળ બજાર સહિતના વિસ્તારોમાંથી ઢીંચણ સમા પાણી ભરાયા હતા.

બીજી તરફ વરધરી રોડ ઉપર આવેલ જયનગર સોસાયટી, યોગેશ્ર્વર સોસાયટી સહિતની અલગ અલગ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા હતા. જ્યારે લુણાવાડા થી અમદાવાદને જોડતા હાઇવે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં આવેલા આનંદ નગર સોસાયટીમાં પાણીનો નિકાલ ના હોવાના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા આખી રાત લોકો પાણી ઘરમાં ભરાઈ રહે તે માટે બહાર બેસી રહ્યા હતા તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.

સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં કોમ્પ્લેક્સ કોલે દળવાની ઘંટીમાં દરેક જગ્યાએ પાંચ પાંચ દસ ફૂટ પાણી ભરાઈ ગયું હતું. વર્ષોથી આનંદ નગર સોસાયટીમાં પાણીનો નિકાલ ના હોવાના કારણે દર વર્ષે જો આ વખતે પણ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. ઘર માંથી બહાર નીકળવું લોકોને ભારે હાલાકી પડેલી હતી. પાણી કરવા માટેનું નાડું વર્ષોથી પુરાણ કરીને તેને બંધ કરી દેવામાં આવેલું હતું. સોસાયટી વિસ્તાર રજૂઆત કરવા છતાં નિકાલ પણ કરવામાં આવી રહ્યોસંતરામપુર તાલુકાના ગાડીયા સીર શણબાર નાની ભુગેડી સંતરામપુર તાલુકાના ગામોમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા. કાળીયા નર્સિંગપુરનો ફરીથી નાનું ડૂબી જતા રસ્તો બંધ થઈ ગયો તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી હતી. દિવસ પર સતત વરસાદ ચાલુ રહેતા ધંધામાં મોટી અસર જોવાય હતી.