વીરપુર થી બાલાસિનોર તરફ જતી એસ.ટી. બસ ચોરી પાટિયા પાસે પલ્ટી ખાધી

મળતી વિગતો અનુસાર ટૂંક સમય પહેલા બાલાસિનોર ડેપોની ગઠળા સાળગપુર નવીન રૂઠ બસ સેવા મુસાફરો માટે ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા લીલીઝંડી આપી શરૂ કરાવામાં આવી હતી, પરંતુ આજરોજ ગઢડા -સાળંગપુર બસ વીરપુર થી બાલાસિનોર તરફ જઈ રહી હતી. તે સમય દરમ્યાન બસમાં 5 જેટલાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, તે સમય દરમ્યાન વીરપુર થી બાલાસિનોર રોડ પર ચોરી પાટિયા પાસે રીક્ષા ચાલકને બચાવવા જતા બસના ડ્રાયવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા બસ રસ્તાની સાઈડમાં ખાબકી હતી અને આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોળી આવ્યા હતા. સદ્દનસીબે મળતી માહિતી અનુસાર બસમાં 5 જેટલાં મુસાફરો સવાર હતા અને પાંચેય મુસાફરો સાથે બસ ચાલક અને કંડકટરનો ચમત્કારીક બચાવ થયો હતો. આ અકસ્માતના પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી.