મધ્યપ્રદેશના પરસવાડા શેરવી નજીક દાહોદ તરફ ડાંગર ભરી આવતી ટ્રકને 11 કેવી વીજ લાઈનને અડી જતાં ડ્રાઈવર અને કિલનરનું મોત

મધ્યપ્રદેશના બાલાઘાટ જીલ્લાના પરસવાડા શેરવી નજીક ડાંગર ભરીને દાહોદ તરફ આવતી ટ્રક 11 KV લાઈનને સ્પર્શતા સર્જાયેલી ઘટનામાં દાહોદ શહેરના ઘાંચીવાડાના ડ્રાઇવર અને ક્લિનરનુ વીજ કરંટથી મોત નીપજયા હોવાનુ જાણવા મળેલ છે. ઘટનાના પગલે લામતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને MPEB ને જાણ કરી વીજ સપ્લાય બંધ કરી મરજનાર બંને વ્યક્તિઓના મૃતદેહોને પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ઘાંચીવાડા ખાતેના રહેવાસી સાદિક શબ્બીર હાસા ક્લીનર તેમજ સાજીદ ખાન પઠાણ રહે.ઘાંચીવાડ ચાલક દાહોદ થી બાલાઘાટ જીલ્લાના શેરવી ખાતેના રહેવાસી પ્રહલાદભાઈ બોપચેના ઘરે ડાંગર ભરવા Gj-20-X-8555 નંબરની ટ્રક લઈને ગયા હતા. ત્યાંથી પરત ડાંગર ભરીને દાહોદ આવવા નીકળ્યા હતા તે સમયે રસ્તામાં સેરવી પંચાયત નજીક પહોંચ્યા હતા. જ્યાં પસાર થતી 11 સદ લાઈન જોડે ટ્રકને સ્પર્શતા વીજ કરંટના લીધે ઉપરોક્ત બંને ચાલક અને ક્લીનરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા લામતા પોલીસ મથકના પી.એસ.આઈ દિલીપ કરણે તેમજ પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને MPEB બોર્ડને જાણ કરી વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને ડ્રાઇવર અને ક્લીનરના મૃતદેહોને પી.એમ. અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટનાના પગલે સ્થાનિક ધારાસભ્ય મધુ ભગત પણ ધટના પહોંચ્યા હતા અને વીજ વિભાગ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઘટના દર્દનાક છે. જેમાં દાહોદના બે વ્યક્તિઓના મોત થયા છે. તેઓએ એમપીઇબીને જાણ કરી નિર્દેશ આપ્યા હતા કે તેમની વિધાનસભા મત વિસ્તારમાં જે પણ ગામે વીજ પાવર નીચે લટકતા હોય તેમને તાબડતોડ પૂજા કરો જેથી કરીને આવી દુર્ઘટના ફરી ન થાય. જોકે, હાલ મરણજનાર પરિવારજનો સેરવી ખાતે પહોંચશે. ત્યારબાદ બંનેના મૃતદેહનું પીએમ કરાશે. હાલ પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.