બાલાસિનોરના શિક્ષિત દંપતીએ એકસાથે પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી

મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના ડુંગરીપુરા (પાંડવા) ગામના વતની અને વર્ષોથી શિક્ષણ જગત સાથે જોડાયેલા એવા સામાજીક રાજકીય આગેવાન દંપતિ ડો. એન આર. ચૌહાણ તથા ડો. ઐશ્વર્યા કુવરબા એક સાથે બંને એ એકબીજાનો સાથ આપી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી માંથી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. નવયુવાનો અને શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી ઘડતર અંગે પ્રયત્નો કરનાર વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. ઉલ્લેખનીએ છે કે, ડો. નરેન્દ્રસિંહ રૂપસિંહ ચૌહાણ એ શિક્ષણ વિષયમાં તથા તેમની ધર્મપત્ની ડો. ઐશ્વર્યા બા એ સંસ્કૃત વિષયમાં નોકરીની સાથે સાથે અભ્યાસ કરીને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી માંથી પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરેલ છે. તેમની આ સફળતા અને સરાહનીય કાર્યને શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ લોકોએ ખૂબ બિરદાવી છે.