રાયબરેલીમાં રાહુલ ગાંધીએ શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી

લોક્સભામાં વિપક્ષના નેતા,રાહુલ ગાંધી, મંગળવારે સ્વર્ગસ્થ કેપ્ટન અંશુમાન સિંહના પરિવારને મળ્યા, જેઓ જુલાઈ ૨૦૨૩ સિયાચીન આગમાં મૃત્યુ પામ્યા હતા, અસાધારણ બહાદુરી બતાવી અને ઘણા લોકોના જીવ બચાવ્યા. દિવંગત કેપ્ટન અંશુમાન સિંહના પિતા રવિ પ્રતાપ સિંહ અને માતા મંજુ સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતાને મળવા રાયબરેલી પહોંચ્યા હતા.કોંગ્રેસ સાંસદને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા મંજુ સિંહે કહ્યું કે તેને અગાઉ કોંગ્રેસના સાંસદને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમણે તેમને બોલાવ્યા હતા. મંગળવારે મિસ્ટર ગાંધીને મળ્યા ત્યારે તે ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી અને તેમની સાથે અગ્નિવીર યોજના અંગે ચર્ચા કરી હતી.એક પ્રશ્ર્નના જવાબમાં તેણીએ કહ્યું કે ભારતીય સેનાએ બધા માટે સમાન સુવિધાઓ સુનિશ્ર્ચિત કરવી જોઈએ.તેને કહ્યું કે તેણી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી હતી અને તેમનો પ્રતિભાવ ખૂબ જ સકારાત્મક હતો.

આ પહેલા રાહુલ ગાંધી લખનૌ એરપોર્ટ પર ઉતર્યા હતા અને રોડ માર્ગે રાયબરેલી પહોંચ્યા હતા. તેઓ ફુરસતગંજ એરપોર્ટ પર ઉતરવાના હતા પરંતુ ઓછી વિઝિબિલિટીના કારણે મણિપુરથી આવતા તેમના વિશેષ વિમાનને લખનૌ તરફ વાળવામાં આવ્યું હતું

રાયબરેલી પહોંચ્યા પછી, શ્રી ગાંધીએ બછરાવનમાં એક મંદિરમાં પ્રાર્થના કરી અને પછી ભૂમાઉ ગેસ્ટ હાઉસ તરફ પ્રયાણ કર્યું જ્યાં તેઓ પક્ષના નેતાઓ અને નાગરિકો ઉપરાંત સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિમંડળોને મળ્યા હતાં