
શહેરામાં અષાઢી બીજ ને લઈને તાલુકા ના પ્રજાજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ દિવસનું મહત્વ હોવાથી ઘણા બધા ખેડૂતો ખેતી કામમાં જોતારાયા હતા.
શહેરા તાલુકામાં અષાઢી બીજ ને લઈને અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો હતો.જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી કરતા અમુક ખેડૂતો આકાશ તરફ બે હાથ જોડીને પ્રાર્થના કરીને રથયાત્રાના દિવસથી ખેતી કામમાં જોતરાયા હતા. ખેડૂતો પોતાના ખેતરમાં બળદ થી ખેડ કરવા સાથે પરિવારના સભ્યો પણ ખેતીકામ કરતા નજરે પડ્યા હતા. ખેતરમાં બળદ સાથે ખેડ કરતા જયંતીભાઈ તલાર એ જણાવ્યું હતું કે અષાઢી બીજના દિવસ પછી વરસાદ સારો થતો હોય છે. વર્ષોથી આજ રીતે અષાઢી બીજના દિવસથી ખેતીની શરૂઆત કરતા આવ્યા છીએ અને ભગવાનની કૃપાથી ખેતી અમારી સારી થાય છે. વધતી જતી મોંઘવારી તેમજ ડીઝલના ભાવ પણ આસમાને હોવાથી ઘણા બધા ખેડૂતો ટ્રેક્ટરથી પોતાનું ખેતર નહી ખેડાવીને વર્ષો જૂની પરંપરા મુજબ ખેતરમાં બળદ થી ખેડ કરીને થોડા ઘણા રૂપિયા બચાવી રહયા હતા. જોકે, તાલુકા પંથકમાં ઘણા બધા ખેડૂતો ખેતીલાયક વરસાદ થાય એ માટે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો મેઘરાજાને સમયસર વરસવા માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા.