દ્વારકાધીશ-સોમનાથ દાદાના ચરણોમાં અનંત અંબાણીના લગ્નની કંકોત્રી સમર્પિત

ગયા સોમવારે, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી આશીર્વાદ લેવા કાશી વિશ્ર્વનાથ મંદિર પહોંચ્યા અને ભગવાન શિવને લગ્નનું પહેલું આમંત્રણ આપ્યું. જેના બાદ ગુજરાતના સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકા મંદિર ખાતે આ કંકોત્રી અર્પણ કરવામા આવી હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની કંકોત્રી ચર્ચાનો વિષય બની છે. ઘણા લોકો આમંત્રણની સુંદરતા અને ભવ્યતા તરફ આકર્ષાયા છે, જે સંપત્તિ અને સાંસ્કૃતિક વારસો બંનેનું મિશ્રણ કરે છે. આ આમંત્રણ એક મોટા અને સુંદર રીતે શણગારેલા નારંગી રંગના બોક્સમાં આવે છે. બૉક્સની ઉપર પર ભગવાન વિષ્ણુની એક છબી છે. જેના હૃદયમાં દેવી લક્ષ્મી છે, અને તેની આસપાસ વિષ્ણુનો સ્લોક લખાયેલો છે.

બૉક્સની અંદર, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું ઘર, વૈકુંઠને દર્શાવતું વિસ્તૃત ભરતકામ છે. બોક્સમાં વિષ્ણુ મંત્ર પણ વાગે છે, જે આયાત્મિક વાતાવરણને વધારે છે. તેની અંદર મૂતથી સુશોભિત સુવર્ણ પુસ્તક છે. પ્રથમ પૃષ્ઠ પર ભગવાન ગણેશની છબી છે, જેને અલગ અને ફ્રેમ કરી શકાય છે. આગળના પૃષ્ઠો પર રાધા અને કૃષ્ણના ચિત્રો છે. આમંત્રણ પત્રની સાથે અંબાણી પરિવારની હસ્તલિખિત નોંધ ધરાવતું એક નાનું પરબિડીયું છે. પત્રમાં ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને મા અંબેના ચિત્રો પણ છે, જેને અલગ કરીને ફ્રેમ કરી શકાય છે. છેલ્લું પાનું દીવાઓથી પ્રગટાવવામાં આવ્યું છે અને તેમાં ૠગ્વેદનું એક અવતરણ છે – ’હું તમારા જેવો છું, તમે મારા જેવા છો. આપણું મન એક્સરખું છે, આપણા શબ્દો સરખા છે અને આપણું હૃદય એક્સરખું છે.

મુખ્ય આમંત્રણ સિવાય, મંદિર ધરાવતું એક નાનું નારંગી બોક્સ છે, જે કોમ્પેક્ટ અને લઈ જવામાં સરળ છે. આ બૉક્સમાં કાશ્મીરના કારીગરો દ્વારા બનાવેલી ડોરુખા પશ્મિના શાલનો પણ સમાવેશ થાય છે, જે સુંદર રંગો અને નરમ સામગ્રીને દર્શાવે છે.