ગોધરા કોર્ટમાં NEET કૌભાંડના 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયાં, રિમાન્ડ અરજી પર આવતીકાલે કોર્ટમાં વધુ સુનાવણી થશે.

ગાોધરામાં NEET કૌભાંડ મામલે CBIની તપાસ તેજ કરાઈ છે. ત્યારે આજે પાંચમાં દિવસે સીબીઆઇ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. જેને લઈ આજે રિમાન્ડ અરજી પર ગોધરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે શુક્રવારે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગોધરા ચીફ કોર્ટ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માટેની અરજી પર સુનાવણી થઈ હતી જેમાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલા 4 આરીફ વોરા, તુષાર ભટ્ટ, વિભોર આનંદ અને પરષોત્તમ શર્માના 4 દિવસના રિમાન્ડની માગ કોર્ટ સમક્ષ કરાઈ હતી. ગોધરા ચીફ કોર્ટમાં 4 આરોપીઓના રિમાન્ડ અરજી પર આવતીકાલે વધુ સુનાવણી થશે.

રિમાન્ડ અરજી પર આવતીકાલે કોર્ટમાં વધુ સુનાવણી
ગોધરા શહેરના જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટ પરીક્ષા કેસ મામલે સીબીઆઇ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં નીટ પ્રકરણમાં સંડોવાયેલ પાંચ આરોપી પૈકી ચાર આરોપીઓના ગોધરા ચીફ કોર્ટમાં રિમાન્ડ માટેની અરજી કરવામાં આવી હતી જેને લઈ ગોધરાના સબજેલમાંથી ચાર આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલા 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માગ કરવામાં આવી હતી. ગોધરા ચીફ કોર્ટમાં સીબીઆઇ દ્વારા આરીફ વોરા, તુષાર ભટ્ટ, વિભોર આનંદ અને પરષોત્તમ શર્માની 4 દિવસની રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈના વકીલ અને આરોપીઓના વકીલ બંનેની દલીલો સાંભળી ગોધરા ચીફ કોર્ટ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી.કે ચૌહાણ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ અરજી સુનાવણી આવતીકાલે આપવામાં આવશે.

જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની મોડી રાત સુધી પૂછપરછ કરાઈ
ગોધરા શહેરમાં જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટની પરીક્ષાને લઈને ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઇ દ્વારા 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓનાં નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમો અને જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ વાલીઓ અને જય જલારામ સ્કૂલના માલિકને પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારે સીબીઆઇ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી માટે આજરોજ શુક્રવારે ગોધરાના સબજેલમાંથી ગોધરા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.