કાલોલના અલવા ગામના 21 વર્ષિય યુવાનનો મૃતદેહ અંબાલા ગામે નર્મદા કેનાલમાંથી મળ્યો

કાલોલ તાલુકાના અંબાલા ગામે નર્મદા કેનાલમાંથી અલવા ગામે 21 વર્ષિય યુવકનો મરણ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના અલવા ગામે રહેતા ગણપતસિંહ છત્રસિંહ બારીયાનો પુત્ર ધનરાજ તા.20 જુનના રોજ ધરેથી દેલોલ એટીએમ ઉપર પૈસા ઉપાડવા જવાનુ કહીને નીકળેલ હતો. અને ધરે પરત ફરેલ ન હોય અને બાકરોલ નર્મદા કેનાલના પુલથી અંબાલા નર્મદા કેનાલમાં પુલ આગળ થોડે દુર કોઈ કારણોસર પાણીમાં ડુબી જઈ મરણ થયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.