ફતેપુરાના વાગડ ગામે બંધ મકાન માંથી રોકડ અને ચોરીના દાગના મળી 30 હજારની ચોરી

દાહોદ,દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં મુકી રાખેલ તિજોરીમાંથી રોકડા રૂપિયા 10,000 તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૂા.30,000ના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાનું જાણવા મળે છે.

ગત તા.20મી જુનના રોજ ફતેપુરાના વાંગડ ગામે ખુંટા ફળિયામાં રહેતાં તેરસીંગભાઈ ચુનિયાભાઈ પારગીના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ રાત્રીના કોઈપણ સમયે મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનું તાળુ કોઈ વસ્તુ વડે કાપી મકાનમાં પ્રવેશ કર્યો હતો. મકાનમાં મુકી રાખેલ તિજોરીમાંથી રોકડા રૂપીયા 10,000 તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૂા.30,000ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે તેરસીંગભાઈ ચુનિયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.