પોલીયો નાબૂદી અભિયાન અંતર્ગત મહીસાગર જીલ્લામાં 5 વર્ષ સુધીના 1 .45 લાખ બાળકોને પીવડાવાશે પોલીયોના બે ટીપાં

  • મહીસાગર જીલ્લા કલેક્ટર નેહાકુમારીએ લુણાવાડા અર્બન હેલ્થ ખાતેથી કરાવ્યો પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ.

લુણાવાડા, રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ – દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જીલ્લામાં 0 થી 5 વર્ષ ના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવાની 23 જૂન થી 25 જૂન ત્રિદિવસીય ઝુંબેશની શરૂઆત થઈ છે ત્યારે કલેકટર નેહા કુમારીએ લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરના પોલિયો બૂથ પર બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી શુભારંભ કરાવ્યો છે.

આ ત્રી-દિવસીય ઝુંબેશ દરમિયાન મહીસાગર જીલ્લાના કુલ 1 .45 લાખ કરતા વધુ બાળકોને જીલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે.જેમાં મહીસાગર જીલ્લામાં પ્રથમ દિવસે 640 બુથ પર પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. 24 જૂન અને 25 જૂન ના દિવસે બાકી રહેલ બાળકોને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, સી.એચ.ઓ., આશા બહેન તેમજ આશા ફેસિલેટર અને આઈ.સી.ડી.એસ. ના આંગણવાડી બહેનોની કુલ 1280 જેટલી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે. જીલ્લા કલેકટરે એ 0 થી 5 વર્ષ ના બાળકોના વાલીઓને નજીકના પોલિયો બૂથ પર જઈ દો બુંદ જિંદગી કી પોલિયોના બે ટીપાં પીવડાવી ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવાના અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સી.આર પટેલ , અધિક જીલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલીયા, તાલુકા આરોગ્ય અધિકારી એસ.જે પંચાલ ,આયુષ મેડિકલ ઓફિસર તેમજ આરોગ્યકર્મીઑ ઉપસ્થિત રહ્યા હતા