
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે તેમના લોકોને વચન આપ્યું છે કે તેમની સરકાર પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનું બેઠી કરશે. વિદેશી ભંડોળ અને બેલઆઉટ પેકેજો પર તેની નિર્ભરતા ઘટાડીને તે પડોશી દેશોને આથક મોરચે પાછળ છોડી દેશે. પોતાની સરકારના ૧૦૦ દિવસ પૂરા થવા પર ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધિત કરી રહેલા શરીફે કહ્યું કે અમને આશા છે કે આ બેલઆઉટ પેકેજ પાકિસ્તાનના ઈતિહાસનું છેલ્લું પેકેજ હશે.
પાકિસ્તાનની સરકાર તેની ધીમી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આઇએમએફ પાસેથી બીજું બેલઆઉટ પેકેજ લેવા માટે વાતચીત કરી રહ્યું છે. આ પેકેજ ૬ થી ૮ અબજ ડોલરનું હોઈ શકે છે. તાજેતરના પાકિસ્તાની બજેટમાં પણ પાકિસ્તાને આઇએમએફની શરતો અનુસાર નીતિઓ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોતાના મુદ્દા પર ભાર મૂક્તા શરીફે કહ્યું હતું કે અમારી સરકાર આગામી પાંચ વર્ષમાં બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરશે અને યુવાનો માટે વધુ સારા શિક્ષણ અને કૌશલ્યો માટે નવી નીતિઓ બનાવવા અને તેના અમલીકરણ પર કામ કરશે. તેમણે કહ્યું કે ઈન્શાઅલ્લાહ, પાકિસ્તાનના ઈતિહાસમાં આ છેલ્લું બેલઆઉટ પેકેજ હશે.
પાક પીએમએ કહ્યું કે આ લક્ષ્યોને હાંસલ કરવા માટે આપણે બધાએ આપણા દેશની ખાતર સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ રસ્તો મુશ્કેલ છે, અમારી સરકાર આ ફેરફાર કરવા તૈયાર છે. શરીફે કહ્યું કે અમે તે તમામ સંસ્થાઓ, વિભાગો અને મંત્રાલયોને બંધ કરીશું જે લોકો માટે કોઈ કામ નથી કરતા અને દેશ પર બોજ સમાન છે.
તેમની ૧૦૦ દિવસની સરકારને ટક્કર આપતા શરીફે દાવો કર્યો હતો કે તેઓ ૪ માર્ચે સત્તામાં આવ્યા ત્યારથી મોંઘવારી દર ૩૮ ટકાથી ઘટીને ૧૨ ટકા થઈ ગયો છે અને લોનના વ્યાજ દરો પણ ૨૨ ટકાથી ઘટીને ૨૦.૫ ટકા થઈ ગયા છે. ભ્રષ્ટાચાર સામેની તેમની લડાઈ વિશે વાત કરતા વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે અમારી સરકાર ફેડરલ બોર્ડ ઑફ રેવન્યુને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે જે ૧૦૦ ટકા ડિજિટલાઈઝ્ડ હશે.
શરીફે કહ્યું કે દરેક આતંકવાદી, સ્મગલર અને ટેક્સ ચોરી કરનાર અર્થવ્યવસ્થાનો દુશ્મન છે. સરકાર અને જનતાએ સાથે મળીને કામ કરવું પડશે તો જ પાકિસ્તાન લોનના આ દુષ્ટ ચક્રમાંથી બહાર આવી શકશે.