ભારતીય ચૂંટણીમાં કોઈ ધાંધલ ધમાલ નથી થઈ, શું આપણા દેશમાં પણ આવું થશે,પીટીઆઈ સાંસદ

ઈમરાન ખાનની પાર્ટીના સાંસદ શિબલી ફરાઝે પાકિસ્તાની સંસદમાં ભારતમાં યોજાયેલી ચૂંટણીની પ્રશંસા કરી છે. તેમણે બુધવારે કહ્યું કે બધા જાણે છે કે પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવામાં આવી હતી પરંતુ આપણા પાડોશી દેશમાં પણ ચૂંટણી યોજાઈ હતી, પરંતુ આજે કોઈ એવું ન કહી શકે કે તેમાં ધાંધલ ધમાલ થઈ હતી.

તેમણે કહ્યું કે ભારતમાં ૮૦ કરોડ લોકોએ મતદાન કર્યું છે. મતદાન માટે ત્યાં લાખો મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. એક વ્યક્તિ માટે મતદાન કેન્દ્ર પણ હતું. ભારતમાં સમગ્ર ચૂંટણી ઈફસ્ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જે એક મહિનાથી વધુ સમય સુધી ચાલી હતી.

ફરાજે તેમની સરકારને પૂછ્યું – શું ભારતની ચૂંટણીના પરિણામો અંગે હજુ સુધી એક પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે? ત્યાંના તમામ પક્ષોએ ચૂંટણી નિષ્પક્ષ હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે સંસદમાં સવાલ ઉઠાવ્યો હતો કે શું પાકિસ્તાનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની હેરાફેરી વગર ચૂંટણી યોજાઈ શકે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઈમરાન ખાનની પાર્ટીનો પરાજય થયો હતો.

શિબલી ફરાઝે સંસદના અયક્ષ સરદાર સાદિકને કહ્યું કે અમે પણ પાકિસ્તાનમાં નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છીએ છીએ. જ્યારે અહીં ચૂંટણીઓ યોજાય છે, ત્યારે ન તો હારનાર પક્ષ અને ન તો જીતનાર પક્ષ તેના પરિણામો સ્વીકારે છે. આ પ્રકારની બાબતોએ આપણી રાજકીય વ્યવસ્થાને સંપૂર્ણ રીતે પોકળ બનાવી દીધી છે.