જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓ ભરેલી બસ પર થયેલ હુમલાને લઇ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ફતેપુરા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર સંબંધિત અધિકારીને આપવામાં આવ્યું

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જમ્મુ કાશમીરમાં ધાર્મિક યાત્રાળુઓને લઇ જતી બસ પર હુમલાને લઇ દેશના રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર ફતેપુરાના સંબંધિત અધિકારીને આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં ધાર્મિક યાત્રાળુઓને લઈ જતી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 તીર્થયાત્રીઓના મોત થયા હતા અને 32 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. તેવી રીતે મણિપુરમાં પણ આવી ઘટનાઓ બની રહી છે, પંજાબમાં વધી રહેલી આતંકવાદ અને જમ્મુ રિયાસીની ઘટના એ સ્પષ્ટ સંકેત છે કે દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું છે. હિંદુઓની સલામતી અંગે દુ:ખ અને દુ:ખની માંગણી કરે છે કે (1) કેન્દ્ર સરકાર જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય આપે અને આ ઘટનાને અંજામ આપનાર આતંકવાદીઓને ફાંસીની સજા આપે દેશમાં બનતી આતંકવાદની ઘટનાઓને રોકે અને આતંકવાદને દેશ માંથી ખાત્મો કરવો જોઈએ. ધાર્મિક યાત્રાળુઓને સુરક્ષા પુરી પાડવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી માંગણીઓને લઇ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ફતેપુરા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.