દે.બારીયા શહેર એમ.જી.વી.સી.એલ.ના દ્વારા પ્રિમોન્સુનની કામગીરીના નામે આખા શહેરને બાનમાં કેમ લેવામાં આવે છે ???

દે.બારીયા, દે.બારીયાની એમ.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઈજનેરના અંધરે વહિવટના કારણે આખા શહેરમાં સતત ત્રણ મંગળવારથી વીજ પ્રવાહ બંધ રખાતા લોકો હાય તોબા પોકારી ઉઠયા છે. આગ ઓગાળતી 41 ડીગ્રી ગરમીમાંં સવારે 7-00 કલાકે થી બપોરે 2-00 વાગ્યા સુધી શહેરની આમ જનતા બાનમાં રાખવા પાછળનું કારણ શું ? તે યત્ર પ્રશ્ર્ન છે.

પ્રાપ્ત માહિતી અનુસારે દે.બારીયા શહેરમાં છેલ્લા ત્રણ મંગળવારથી મોન્સુન પહેલાનું મેન્ટનન્સ કાર્ય હાથ ધરાતું હોય છે. આખા શહેરના લોકોને હેરાનીનો વારો છે. શહેરના જે વિસ્તારનું મેન્ટનન્સ કાર્ય કરવામાં આવે તેજ વિસ્તારનું વિજ પ્રવાહ જનતાની માંગ ઉઠવા પામી છે. ગમે તેટલું મેન્ટનન્સ એક વરસાદી ઝાપટામાં વિજ પ્રવાહ બંધ થઈ જાય છે. મોન્સુન પહેલાનું મેન્ટનન્સ શું ? ત્રણ મંંગળવાર જેમાં કયા કયા વિસ્તારોમાં મેન્ટનન્સના કાર્ય હાથ ધરાશે તે સ્પષ્ટ વિસ્તારોના નામો આપતા નથી તે મોટો સવાલ છે. પૂર્વ વિસ્તારમાં મેન્ટનન્સનું કાર્ય કરવાનું હોય તો બીજા વિસ્તારના શહેરીજનોને હાલાકી શા માટે ? ગુજરાતમાં મોધામાં મોંધી વિજ આમ જનતા ખરીદે છે. તો તેમને સુવિધા સાથે સર્વિસ કેમ નહિ તે શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મોન્સુન પહેલા તમામ ધંધા રોજગાર ચરમ સીમાએ હોય છે. આવા સમયે સતત ત્રણ મંગળવારે વિજ પ્રવાહ બંધ કરી દેવામાં આવતો હોય તો લોકો કમાવવાનો સમય વિતી જશે. જેથી જે વિસ્તારનું મેન્ટનન્સ કાર્ય કરવાનું હોય તેજ વિસ્તારનું વિજ પ્રવાહ બંધ રાખવામાંં કોઈને વાંધો આવતો નથી. તેમજ નવા ઠાકોરવાડા, પારેખ શેરી, જાની ફળીયા વિસ્તારોમાં છેલ્લા બે માસથી લો વોલ્ટેજની સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવતો નથી. કેમ તે નાયબ કાર્યપાલક ઈજનેર બહાના બનાવી આમ જનતાને હાથ તાળી આપી હાથમાં દિલ્લી દેખાવી રહ્યા છે. નાચવું ના હોય તો આંગણું ટેઢું લાગે છે. તેવું લાગી રહ્યુંં છે.