દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના સીમળીયાખુર્દ ગામે એક 18 વર્ષિય પરણિતાએ પોતાના પતિ તથા સાસરીયાઓના ત્રાસથી પોતાના પિયરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચરચાર મચી જવા પામી છે.

ગરબાડા, ગરબાડા તાલુકાના સીમળીયાખુર્દ ગામે પોતાના પિયરમાં રહેતા 18 વર્ષિય રીમ્પલબેન ઉર્ફે ડિમ્પલબેન ગોરચંદભાઈ ઉર્ફે ગોરાભાઈ બારીયાએ ગતરોજ તારીખ 06.06.2024ના રોજ પરણિતાના ભાઈઓ તથા તેમના માતા-પિતા સાથે ઉપરોક્ત મૃતક પરણિતાના પતિ તથા સાસરીયાઓ દ્વારા અવાર નવાર ઝઘડો તકરાર કરતાં હોય અને સમાધાન ન કરતાં હોય જેથી ઉપરોક્ત પરણિતાને મનમાં લાગી આવતાં પોતાના પિયરમાં ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક ઉપરોક્ત પરણિતાના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવામાં આવ્યાં હતાં. આ સંબંધે ગોરચંદભાઈ ઉર્ફે ગોરાભાઈ કેગુભાઈ બારીયાએ ગરબાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.