દાહોદ જીલ્લામાં અનુસુચિત જાતિ સમાજ કેળવણી મંડળ દ્વારા ધો.10 અને 12માં 70 ટકા સાથે ઉર્ત્તિણ થયેલ વિદ્યાર્થીઓના સન્માન માટે માર્કશીટ મંગાઈ

દાહોદ,દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજ કેળવણી મંડળ તરફથી ચાલુ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 માં પ્રથમ પ્રયત્ને ઉત્તિર્ણ થયેલ જેમાં ધોરણ 10 માં 70% અને ધોરણ 12 માં આર્ટસ કોમર્સ માં 70% તથા સાયન્સમાં 60 ટકા સાથે પાસ થયેલ જીલ્લામાં રહેતા એસ.સી. સમાજ ના કુમાર ક્ધયા ને જીલ્લા કક્ષાએ સન્માન કરવાનો કાર્યક્રમ અગામી દિવસોમાં યોજવાનું નક્કી કરેલ છે. જેથી વિદ્યાર્થીઓના વાલીઓએ તાલુકા દીઠ નક્કી કરેલ ક્ધવીનરોને માર્કશીટની ઝેરોક્ષ કોપી આપવા વિનંતી છે.

દાહોદ-શહેર નરેશભાઈ ચાવડા, દાહોદ ગ્રામ્ય-નરેશભાઈ મકવાણા, ગરબાડા-અલ્કેશભાઇ ચાવડા, ધાનપુર-જશુભાઈ પીઠાયા, દે.બારીયા-કનુભાઈ મકવાણા, લીમખેડા- કિરણભાઈ બારીયા, સિંગવડ-સુરેશભાઈ ચૌહાણ, સંજેલી-રમેશભાઈ સોલંકી, ફતેપુરા- શાંતિલાલ સિસોદિયા, ઝાલોદ શહેર- દિનેશભાઈ ભૂનોતર, ઝાલોદ ગ્રામ્ય- મુકેશભાઈ ખાગુન્ડા, દાહોદ જીલ્લાના સર્વે એસ.સી. સમાજના આગેવાનો વડીલોને એક અખબારી નિવેદનમાં જીલ્લા પ્રમુખ ગોપાલભાઈ ધાનકા અને મંત્રી કિરણ સિંહ ચાવડા જણાવે છે.