પંજાબ : બે માલગાડીની ટ્રેનની ટક્કરથી બે ’લોકો પાયલોટ’ ઘાયલ

પંજાબના સરહિંદ રેલ્વે સ્ટેશન પર રવિવારે સવારે ઊભેલી માલગાડી સાથે બીજી માલગાડી અથડાતાં બે ’લોકો પાઇલોટ’ (ટ્રેન ડ્રાઇવરો) ઘાયલ થયા હતા. સરકારી રેલવે પોલીસના એક અધિકારીએ આ માહિતી આપી.

અધિકારીએ જણાવ્યું કે ટક્કરને કારણે તેમાંથી એકનું એન્જિન બીજા ટ્રેક પર ગયું અને એક મુસાફર ટ્રેનની અડફેટે આવી ગયો.

તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ’લોકો પાયલોટ’ વિકાસ કુમાર અને હિમાંશુ કુમાર ઘાયલ થયા છે.

ફતેહગઢ સાહિબની સરકારી હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે વિકાસ કુમારને માથામાં ઈજા થઈ છે અને હિમાંશુ કુમારને પીઠ પર ઈજા થઈ છે અને તેમને પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.