લિવ ઈન પાર્ટનરે પ્રેમિકાના ૩૫ ટૂકડાં કર્યા , આફતાબ રોજ રાતે ૨ વાગે શ્રદ્ધાના ટૂકડાં જંગલમાં ફેંક્તો હતો,૧૮ દિવસમાં ઠેકાણે પાડ્યા

  • શ્રદ્ધાના પિતાએ ૮ નવેમ્બરે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.આરોપી યુવકની ધરપકડ

મુંબઇ,

મુંબઈના કોલ સેન્ટરમાં નોકરી કરતા મિત્રતા થઈ હતી, દોસ્તી પછી પ્રેમ પાંગર્યો. પ્રેમ એટલો ગાઢ હતો કે જ્યારે પરિવારે વિરોધ કર્યો તો બંને ઘર છોડીને દિલ્હી આવી ગયા, પરંતુ એક દિવસ ઝઘડો થયો અને યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારીને તેના શરીરના ૩૫ ટુકડા કરી નાખ્યા. આ સનસનીખેજ હત્યાનો મામલો દિલ્હીના મહેરૌલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. જો કે હત્યાની આ ઘટના ૬ મહિના જૂની છે અને આમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે, જેનું નામ આફતાબ છે.

કહાનીની શરૂઆત માયા નગરી મુંબઈથી થાય છે, જ્યાં મુંબઈના મલાડ વિસ્તારમાં કોલ સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધાની મુલાકાત આફતાબ સાથે થઈ હતી. બંને મિત્રો બન્યા અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી.થોડા દિવસ મુંબઈમાં રહ્યા પછી બંને દિલ્હી આવ્યા અને અહીં જ રહેવા લાગ્યા હતા. દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ ગઈ. પરિવારજનોના વિરોધ પર બંને દિલ્હી આવી ગયા હતા. શ્રદ્ધાના પરિવારજનો ફોન દ્વારા દીકરી વિશે માહિતી મેળવતા હતા.

૧૮ મે પછી શ્રદ્ધાએ પરિવારના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી ચિંતા થતા પિતા વિકાસ મદન દીકરીની હાલત જાણવા ૮મી નવેમ્બરે દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં તાળું હતું. પિતાને દિલ્હીમાં દીકરી ન મળતાં તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પુત્રીના અપહરણના આરોપ લગાવ્યા હતા. શ્રદ્ધાના પિતાએ જણાવ્યું હતુ કે તેમની પુત્રી મુંબઈના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અહીં તેની મુલાકાત આફતાબ નામના યુવક સાથે થઈ અને બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાએ આફતાબ પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેણે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતુ. દિલ્હી પોલીસના એક અધિકારીએ મીડિયાને કહ્યું- હત્યા બાદ આફતાબે મૃતદેહના ૩૫ ટુકડા કર્યા હતા અને ૧૮ દિવસ સુધી તે આ ટુકડાઓને દિલ્હીમાં જુદા જુદા વિસ્તારોમાં ફેંકીને ઠેકાણે પાડતો હતો. પોલીસની ફોરેન્સિક ટીમ મૃતદેહો વિશે માહિતી એકઠી કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૮ મેના રોજ આરોપી આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન શ્રદ્ધા બૂમો પાડી રહી હતી. આરોપી આફતાબે શ્રદ્ધાનું મોઢું દબાવી દીધું જેથી આસપાસના લોકો અવાજ ન સાંભળી શકે અને આ દરમિયાન શ્રદ્ધાનું મોત થઈ ગયું. શ્રદ્ધાને મૃત જોઈને આફતાબ ગભરાઈ ગયો, ત્યારબાદ આફતાબે શ્રદ્ધાના મૃતદેહને ઠેકાણે પાડવાનું વિચાર્યું હતુ.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી આફતાબ ૧૮ દિવસ સુધી રાત્રે ૨ વાગે ઘરની બહાર નીકળતો હતો અને શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ એક પછી એક મહેરૌલીના જંગલોમાં ફેંકી ઠેકાણે પાડતો હતો.આરોપી એટલો ચાલાક હતો કે ૧૮ દિવસ સુધી શ્રદ્ધાના મૃતદેહના ટુકડામાંથી ગંધ ન આવે તે માટે તેણે બજારમાંથી એક મોટું ફ્રીજ ખરીદ્યું અને તે ફ્રિજમાં શ્રદ્ધાના શરીરના ટુકડા રાખ્યા. આરોપી રાત્રે ૨ વાગે ઘરની બહાર નીકળતો હતો અને શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ એક પછી એક મહેરૌલીના જંગલોમાં ફેંકી ઠેકાણે પાડતો હતો.

આરોપી રાત્રે ૨ વાગે ઘરની બહાર નીકળતો હતો અને શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ એક પછી એક મહેરૌલીના જંગલોમાં ફેંકી ઠેકાણે પાડતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે શરીરના ટુકડા કરવા માટે આરીનો ઉપયોગ કર્યો હતો. તેણે પહેલા તેના હાથના ત્રણ ટુકડા કર્યા. આ પછી પગના ત્રણ ટુકડા પણ કર્યા. આ પછી, તે દરરોજ તેમને થેલીમાં લઈને મોડી રાત્રે ઘરની બહાર નીકળીને તેને જંગલમાં ફેંકવા માટે લઈ જતો.

તેણે મે મહિનામાં શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી અને મૃતદેહના ૩૫ ડેટલા ટુકડા કરી નાંખ્યા હતા. બાદમાં આ ટુકડાને જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને આરી વડે મૃતદેહના ૩૫ ટુકડા કરી પોતાના ઘરમાં રાખ્યા હતા. આ માટે આફતાબે નવું મોટું ફ્રીજ ખરીદ્યું હતુ. મૃતદેહના ૩૫ જેટલા ટુકડાને ફ્રીજમાં સંતાડી રાખ્યા હતા. બાદમાં ૧૮ દિવસ સુધી રાત્રે બે વાગ્યે તે એક પછી એક મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને જંગલમાં ફેંકી ઠેકાણે પાડવા જતો હતો.