અમિત જેઠવા હત્યા કેસમાં પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને હાઈકોર્ટમાંથી રાહત

  • દિનુ બોઘા સોલંકી સહિત અન્ય આરોપીઓનો છુટકારો થયો છે.

અમદાવાદ, ભાજપ નેતા અને પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને આજે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી સહિત અન્ય આરોપીઓનો છુટકારો થયો છે. આ કેસની સુનાવણીમાં હાઈકોર્ટે આરોપીઓને રાહત આપવા પર કારણ આપ્યું કે તપાસ એજન્સીઓ હત્યાના કારણની સત્યતા શોધવામાં નિષ્ફળ રહી છે. નોંધનીય છે કે આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની વર્ષ ૨૦૧૦માં અમદાવાદ હાઈકોર્ટ નજીક હત્યા થઈ હતી. હાઈકોર્ટની સામે જ અમિત જેઠવાને કેટલાક લોકોએ ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદ હત્યામાં પૂર્વ સાંસદ દિનુ બોઘા તથા અન્યોની સંડોવણી સામે આવતા તમામની ધરપકડ કરાઈ હતી. જો કે પૂર્વ સાંસદ દિનુ બોઘા આરોપી હોવા છતાં જામીન પર બહાર હતા.

ભાજપ નેતા અને પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને આજે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી સહિત અન્ય આરોપીઓનો છુટકારો થયો છે. આ કેસની સુનાવણીમાં હાઈકોર્ટે આરોપીઓને રાહત આપવા પર કારણ આપ્યું કે તપાસ એજન્સીઓ હત્યાના કારણની સત્યતા શોધવામાં નિષ્ફળ રહી છે. નોંધનીય છે કે આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની વર્ષ ૨૦૧૦માં અમદાવાદ હાઈકોર્ટ નજીક હત્યા થઈ હતી. હાઈકોર્ટની સામે જ અમિત જેઠવાને કેટલાક લોકોએ ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદ હત્યામાં પૂર્વ સાંસદ દિનુ બોઘા તથા અન્યોની સંડોવણી સામે આવતા તમામની ધરપકડ કરાઈ હતી. જો કે પૂર્વ સાંસદ દિનુ બોઘા આરોપી હોવા છતાં જામીન પર બહાર હતા.

વર્ષ ૨૦૧૦માં ગુજરાત હાઈકોર્ટ નજીક ૨૦ જુલાઈના રોજ આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કરાઈ. તેઓ હાઈકોર્ટમાં પોતાના જીવને જોખમ હોવા અંગેનું એફિડેવિટ કરવા આવ્યા હતા. ત્યારે જ તેઓ હત્યારાઓના સંકજામાં આવ્યા. જેઠવાએ એફિડેવિટમાં જીવનું જોખમ હોવા પર દિનુ બોઘા સોલંકી પર આરોપ લગાવ્યો હતો. અમિત જેઠવાની હત્યા થયા બાદ તેમના પિતા ભીખાભાઈ દ્વારા દિનુ બોઘા સોલંકી અને અન્ય ૭ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તે સમયે ભીખાભાઈએ આ કેસમાં સીબીઆઇને સોંપવાની માંગ કરી હતી. પિતાની ફરિયાદ બાદ ૬ સપ્ટેમ્બરના રોજ ૨૦૧૦માં દિનુ બોઘાના ભત્રીજાની ધરપકડ કરાઈ. તેમનો ભત્રીજો સાડાચાર વર્ષ જેલમાં બંધ રહ્યો. અને ત્યારબાદ તેને જામીન મળ્યા. ભત્રીજાની ધરપકડ બાદ ૫ નવેમ્બરના રોજ ૨૦૧૩માં ભાઈબીજના બીજા દિવસે પૂર્વ બીજેપી સાંસદ દિનુ બોઘા સોલંકીની ધરપકડ કરાઈ અને ત્રણ મહિના બાદ કોર્ટે તેમને જામીન આપ્યા.

૨૦૧૬માં અમિત જેઠવાના પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી કેસની રિટ્રાયલની માંગ કરી હતી જેને માન્ય રાખવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૧૬માં હાઈકોર્ટના આદેશ સામે આરોપી અને સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને કોર્ટે ૨૬ સાક્ષીની પુન:ટ્રાયલનો આદેશ આપ્યો હતો. આ કેસમાં ૧૮ સાક્ષીઓને કોર્ટ તરફથી ઉચ્ચ સુરક્ષા આપવામાં આવી હતી.

મહત્વનું છે કે અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સોલંકી ઉપરાંત આ કેસમાં કુલ ૭ આરોપી છે. જેમાં આરોપી તરીકે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણનો સમાવેેશ થાય છે. આજે તપાસ એજન્સની નિષ્ફળતાના પગલે આ તમામને રાહત મળી