કારખાના ધારા-1948 હેઠળ ખેડા અને મહિસાગર જીલ્લામાં આવેલ ઔધોગિક એકમોએ મતદાનનાં દિવસે શ્રમયોગી/કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે

  • રજા જાહેર કરવાના કારણે સબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી.

નડિયાદ,નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, નડિયાદ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 07 મે, 2024ના રોજ સવેતન રજા આપવાનું જણાવવામાં આવેલ છે. જેમાં કારખાના ધારા- 1948 હેઠળના કારખાનાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર ક્ધસ્ટ્રકશન વર્કર્સ એકટ 1996 અન્વયે નોંધણી થયેલ સંસ્થા/ સાઈટના શ્રમયોગીઓ મત આપી શકે તે માટે મતદાનના દિવસે સવેતન રજાની વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવે છે.

07-05-2024, મંગળવારના રોજ કારખાના ધારા-1948 હેઠળના ખેડા અને મહિસાગર જીલ્લામાં (ઔધોગિક એકમો) કારખાનામાં કામ કરતાં શ્રમયોગી તેમજ બિલ્ડીંગ એન્ડ અધર ક્ધસ્ટ્રકશન વર્કર્સ એકટ-1996 અન્વયે નોંધણી થયેલ સંસ્થા/ સાઈટ પર શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-1951 ની કલમ-135 (બી) મુજબ કારખાના ધારા -1948 હેઠળ કારખાનાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર ક્ધસ્ટ્રકશન વર્કર્સ એકટ અન્વયે નોંધણી થયેલ સંસ્થા / સાઈટના કામ કરતાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સબંધિત શ્રમયોગી/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. રજાના કારણે જો શ્રમયોગી/ કર્મચારી પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મેળવવા પાત્ર થતો હોય તેટલો પગાર ચુકવવાનો રહેશે.

જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગી/ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઈથી વિરૂધ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોકત સંબંધિત કોઈ ફરીયાદ હોય તો ફોન નંબર 0268-2568986 ઉપર સંપર્ક કરવા નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, નડિયાદ દ્વારા તેઓની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.