કોવિશિલ્ડ નિર્માતા એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે રસી લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે: રિપોર્ટ

નવીદિલ્હી, યુકેની પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેમની કોવિડ -૧૯ રસી લોકોમાં ટીટીએસ જેવી આડઅસર કરી શકે છે. કોવિડ-૧૯ રસી થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) નામની દુર્લભ આડઅસર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમના કારણે શરીરમાં લોહીના ગંઠાવાનું નિર્માણ થઈ શકે છે જે પાછળથી સ્ટ્રોક અથવા કાડયાક અરેસ્ટ જેવી ઘટનાઓનું કારણ બને છે.

ગયા વર્ષે જેમી સ્કોટ નામના વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી કારણ કે તે લોહીના ગંઠાઈ જવાથી પીડાય છે. સ્કોટે માહિતી આપી છે કે એપ્રિલ ૨૦૨૧ માં રસી લીધા પછી, તેના મગજમાં લોહી ગંઠાઈ ગયું અને રક્તાવ શરૂ થયો, જેના કારણે મગજમાં કાયમી ઈજા થઈ અને તે કામ કરી શક્તો નથી. મે ૨૦૨૩ માં કંપનીએ જણાવ્યું હતું કે તેઓ સ્વીકારતા નથી કે ટીટીએસ સામાન્ય સ્તરે રસી દ્વારા પ્રેરિત છે.

એસ્ટ્રાઝેનેકાએ કોવિશિલ્ડ રસી બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવસટી સાથે સહયોગ કર્યો હતો. હાલમાં કંપની કહ્યું કે તેમની રસીના કારણે મૃત્યુ થયા છે અને જેઓએ રસી લીધી છે તેમને ગંભીર નુક્સાન થયું છે. કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા કાનૂની દસ્તાવેજમાં એસ્ટ્રાઝેનેકા ફાર્માસ્યુટિકલ કંપનીએ જણાવ્યું હતું કે રસી, ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં ટીટીએસનું કારણ બની શકે છે, ધ ટેલિગ્રાફે અહેવાલ આપ્યો છે. કંપનીએ કહ્યું છે કે આનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

યુકેની કોર્ટમાં દાખલ કરાયેલા મુકદ્દમામાં પીડિત વ્યક્તિઓ અને તેમના પરિવારો લગભગ ૧૦૦ મિલિયનના વળતરની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે સત્ય અમારી સાથે છે અને અમે હાર માનીશું નહીં.એસ્ટ્ઝેનેકાએ રસી આપવા માટે વૈશ્ર્વિક સ્તરે સૌથી મોટી વેક્સિન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ) સાથે પણ સહયોગ કર્યો હતો.