રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પેંશનરોએ તા. 01-05-2024 થી તા. 31-07-2024 સુધીમાં હયાતીની ખરાઈ કરાઈ લેવી

દાહોદ, જીલ્લા તિજોરી કચેરી, દાહોદમાંથી ગુજરાત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવાનું કે, દર વર્ષે મે, જૂન તેમજ જુલાઈ માસમાં થતી હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. આ વર્ષે 2024 દરમ્યાન પણ પેન્શનરોએ તા. બેંકમાં જઈને તા. 01-05-2024 થી તા. 31-07-2024 સુધીમાં હયાતીની ખરાઈ કરાવવાની રહેશે. હયાતીની ખરાઈ www.jeevanpramaan.gov.in વેબસાઈટ પર ઓનલાઇન કરી શકાશે. જેની તમામ પેન્શનરોએ નોંધ લેવી તેમ જીલ્લા તિજોરી અધિકારી એન.પી.ચૌધરીએ જણાવ્યું છે.