
નવીદિલ્હી, નવી દિલ્હી.કોંગ્રેસે લોક્સભા ચૂંટણી માટે વધુ સાત ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાંથી પાંચ બિહારના છે.પાર્ટી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર અજય નિષાદને બિહારના મુઝફરપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.આ સીટના વર્તમાન સાંસદ નિષાદ થોડા દિવસો પહેલા જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહના પુત્ર આકાશ પ્રસાદ સિંહને બિહારની મહારાજગંજ લોક્સભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે
નોંધનીય છે કે કોંગ્રેસના દિલ્હી એકમના કેટલાક કાર્યકરોએ સોમવારે ઉત્તર-પશ્ર્ચિમ દિલ્હીથી લોક્સભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માંથી પક્ષ બદલીને ઉદિત રાજને ચૂંટતા પક્ષ સામે વિરોધ કર્યો હતો.વિરોધીઓ દીન દયાલ ઉપાયાય માર્ગ પર પાર્ટી કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને ઉદિત રાજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી લોક્સભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.ઉદિત રાજે ૨૦૧૪ની લોક્સભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ઉત્તર પશ્ર્ચિમ દિલ્હી બેઠક પર જીત મેળવી હતી.૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી ન હતી, ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા