ઘોઘંબામાં ભગવાન શ્રીરામના જન્મદિવસે ઉત્સાહભેર રામનવમીની ઉજવણી

ધોધંંબા,ઘોઘંબા ગામમાં ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં આજરોજ ભગવાન શ્રીરામના જન્મદિવસ નિમિત્તે રામનવમી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. માનવ જીવનના સંસારમાં સામાજીક રીતે તમામ પ્રકારની મુશ્કેલીઓ અને અવરોધો આવતા હોય છે. મનુષ્ય વારંવાર નિરાશ થઈ જતો હોય છે અને કોઈપણ જાતના પ્રયત્નો કર્યા વગર પોતે નાસીપાસ થઈ જાય છે. સાથે વેર-વિખવાદ અને સંબંધોનો વિનાશ થાય છે. અસત્ય અહંકાર, અપ્રામાણિકતા, દુરાચાર અને કુસંસ્કૃતિ જન્મ લે છે. કળિયુગનો સમય ચાલી રહ્યો છે. ત્યારે કલ્પના બહારના બનાવો પ્રત્યક્ષ સામે આવી રહ્યા છે. આપણે વિચારતા રહી ગયા કે શા માટે આવું થતું હશે ? ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રામાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી છે. ત્યારે ભગવાન શ્રી રામે અસૂરી શક્તિઓનો નાશ કરવા માટે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર માતા કૌશલ્યા અને પિતા દશરથના કુળમાં જન્મ લીધો હતો. આજનો માનવી પણ આ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામની જીવન ચરિત્રનો મહદ અંશે અમલ કરે તો પણ તેને કોઈ જ દુ:ખો ભોગવવાનો કે હેરાન થવાનો વખત આવતો નથી. આવા સુંદર વિચારો સાથે નવ દિવસની પૂજા, વ્રત, ઉપવાસ, હવન અને દાન સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા ઘોઘંબાના સર્વે ભક્તો, યુવાનો મિત્રો વડીલો માતાઓ તથા બહેનો દ્વારા એક સાથે મળી ભગવાન શ્રીરામ, જાનકી અને લક્ષ્મણનો વરઘોડો ડીજેના તાલે અને સંગીતના સુરોમા જય શ્રી રામના નારાઓ સાથે કાઢવામાં આવ્યો હતો. ત્યારે નાલંદા વિદ્યાલય ઘોઘંબાના બાળકો દ્વારા ભગવાન શ્રી રામ,લક્ષ્મણ,સીતા અને હનુમાનજીની વેશભૂષા એ આકર્ષણ જમાવ્યું હતું.

આ વરઘોડામાં ઘોઘંબા તાલુકા વહીવટી કચેરીઓમાંથી મામલતદાર તથા સુરક્ષા વ્યવસ્થા પોલીસ તંત્ર ખડે પગે હાજર રહી સહકાર આપ્યો હતો.

Don`t copy text!