સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર મહીસાગર ખાતે ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના સીરીઝની ઓનલાઇન હરાજી શરૂ કરવામાં આવશે

મહિસાગર,સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, મહીસાગરની અખબારી યાદી જણાવે છે કે, અત્રેની કચેરીમાં 2-ૂવયયહયિ(મોટર સાઇકલ)ના સીરીઝમાં gj-35-p gj-35-q સિરીઝમાં ગોલ્ડન. સિલ્વર નંબરોની તથા 4-wheeler (મોટર કાર) ની જૂની સીરીઝ gj-35-h અને gh-35-n માં ગોલ્ડન, સિલ્વર નંબરોનું re-auction શરૂ કરવામાં આવનાર હોય નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ ઓનલાઈન હરાજીનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવે છે.

ઇ-ઓકશન પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાની તારીખ 24/04/2024 થી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 26/04/2024 સાજે 03:59 કલાક સુધી રહેશે.ઇ-ઓકશન શરૂ તારીખ 26/04/2024, થી અને ઇ-ઓક્શન સમાપ્ત તારીખ 28/04/2024 સાંજે 04:00 કલાક સુધી રહેશે.

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે https://parivahan.gov.in /fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્ર્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં.આઈ.ટી/પસંદગીનંબર/ઓનલાઈન ઓક્શન/7421, તા.12/10/2017 Appendix-A (આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.

પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.(process flow સામેલ છે) આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે 60 દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણતા 60 દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતીથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં.

ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ 60 દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. 60 દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં કરવામાં આવેલ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરૂં થયા પછી તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે. તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે, અરજદારએ હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ( Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહી.

ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારએ આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે , અસફળ અરજદારએ રિફંડ માટે જે તે અરજદારના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે.