આમ આદમી પાર્ટી સાંસદ સંજયસિંહે મલ્લિકાર્જુન ખડગે સાથે કરી મુલાકાત,જાણો શું ચર્ચા કરી

નવીદિલ્હી, લોક્સભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ત્યારે થોડા સમય પહેલા જ જેલમાંથી છૂટેલા આપ નેતા સંજયસિંહ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જે બાદ સંજય સિંહે કહ્યું કે જેલમાંથી છૂટ્યા બાદ આગળની લડાઈ માટે મલ્લિકાર્જુન ખડગેના આશીર્વાદ લેવાના હતા. કારણ કે તેઓ સદનમાં પણ અમારી હિંમત વધારે છે.તેમની સાથે મુલાકાત કરી. આ દરમિયાન અમે વિપક્ષ વિરુદ્ધ દેશમાં થઇ રહેલી તપાસ એજન્સીની કાર્યવાહીને લઇને પણ વાતચીત કરી હતી.

સંજય સિંહે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં ટૂંક સમયમાં એક કોમન મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવશે, જે સરકારની રચના પછી ભારત ગઠબંધન દ્વારા લાગુ કરવામાં આવશે. સંજય સિંહે વધિમાં કહ્યું કે બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં લોકશાહી બચાવવા માટે આપણે એક થઈને કેવી રીતે કામ કરીશું તે અંગે ચર્ચા થઈ હતી. કોમન મિનિમમ પ્રોગ્રામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

બીજેપીના મેનિફેસ્ટો અંગે સંજય સિંહે કહ્યું કે, જ્યારે હું મલ્લિકાર્જુનજી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે બીજેપીએ તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે પરંતુ પહેલા મને જોવા દો, પછી હું તમારી સાથે વાત કરીશ. શું ૨૦ કરોડ લોકોને નોકરી મળી છે? શું મોંઘવારી ઘટી છે? શું દેશમાં સ્જીઁ લાગુ કરવામાં આવી છે? તેમણે કહ્યું કે, હું આખો મેનિફેસ્ટો વાંચીને પ્રતિક્રિયા આપીશ.