પરમારના ખાખરીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8 બાળકોનો વિદાય સમારંભ યોજાયો

દાહોદ, લીમખેડા તાલુકાના અગારા (ઉ) ક્લસ્ટરમાં આવેલ પરમારના ખાખરીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના 93 બાળકોનો વિદાય સમારંભ યોજાયો. જેમાં બાળકોને શાળા સિનિયર શિક્ષક ચીમનભાઈ માવી, વર્ગ શિક્ષકોએ અને શાળાના સ્ટાફના શિક્ષકોએ આશીર્વચન પાઠવ્યા અને ભવિષ્યમાં સારા શિક્ષણ માટેની સમજ આપી હતી. બાળકોએ ધોરણ એક થી આઠ ના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. બાળકોને ધોરણ-8 ના વર્ગ શિક્ષકા કવિતાબેન તાવિયાડ, વર્ગ શિક્ષક ધર્મેન્દ્રસિંહ ચાવડા અને શિક્ષક જગદીશભાઈ ડાભી તરફથી બોલપેન આપી દ્વિતીય સત્ર પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી અને મીઠાઈ સાથે નાસ્તો આપવામાં આવ્યો હતો.