ત્રીજા તબક્કાની ગુજરાત સહિત ૧૨ રાજ્યોની બેઠકોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડયું, કુલ ૯૪ બેઠક પર ચૂંટણી યોજાશે

નવીદિલ્હી, ત્રીજા તબક્કાની ગુજરાત સહિત ૧૨ રાજ્યોની બેઠકોની ચૂંટણી માટે આજે જાહેકનામુ ચુંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવતાં જ આજથી ઉમેદવારીપત્રકારે ભરી શકાશે ત્રીજા તબક્કામાં કુલ ૯૪ બેઠક પર મતદાન થનાર છે ૯૪ બેઠકો માટે જાહેરનામુ બહાર પડતાં જ આજથી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયું છે અને ૧૯ એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ રહેશે.

ત્રીજા તબક્કા હેઠળ ૭ મેના રોજ ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૪ બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં આસામમાંથી ૪, બિહારમાંથી ૫, છત્તીસગઢમાંથી ૭, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી તમામ ૨, ગોવાના તમામ ૨૬, ગુજરાતમાંથી ૨૬, જમ્મુ-કાશ્મીરમાંથી ૧, કર્ણાટકમાંથી ૧૪, કર્ણાટકમાંથી ૧૧ મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશની ૮, ઉત્તર પ્રદેશની ૧૦ અને પશ્ચિમ બંગાળની ચાર બેઠકો પર મતદાન થશે.

ચૂંટણી પંચે દેશભરમાં સાત તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. ૧૯ એપ્રિલ, ૨૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂનના રોજ મતદાન થશે જ્યારે પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં રાજકીય પક્ષોના પ્રચંડ પ્રચાર વચ્ચે હવે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.ગુજરાતની ૨૬ લોક્સભા અને ૫ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે.

ગુજરાતનો ચૂંટણી કાર્યક્રમ જોઇએ તો આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો છે. ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. ૨૦ એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને ૨૨ એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ત્રીજા તબક્કા અંતર્ગત ૭ મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તબક્કામાં ૧૨ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા ૯૪ સંસદીય ક્ષેત્રોમાં મતદાન થશે. વધુમાં મધ્યપ્રદેશના બેતુલ સંસદીય મતવિસ્તારમાં મતદાન સ્થગિત કરવા માટે એક અલગ સૂચના જારી કરવામાં આવી છે.બેતુલ સંસદીય મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના મૃત્યુને કારણે, ૭ મેના રોજ પ્રસ્તાવિત મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે.

કમિશને એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે લોક્સભા ચૂંટણી ૨૦૨૪ ના બીજા તબક્કામાં લડવા માટે ૧૨ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૨૦૬ ઉમેદવારો તેમજ બાહ્ય મણિપુર સંસદીય મતવિસ્તારમાંથી ૪ ઉમેદવારોના નામાંકન પ્રાપ્ત થયા છે.