શહેરના ૩.૫૦ લાખ રેશનકાર્ડધારકો ૧૦ દિવસથી અનાજથી વંચિત

અમદાવાદ,અમદાવાદમાં સસ્તા અનાજની ૮૦૦ દુકાનોમાં નોંધાયેલા એનએફએસએના ૩.૫૦ લાખ રેશનકાર્ડધારકોને ૧૦ દિવસ છતાં હજી સુધી તુવેરદાળ મળી નથી. આ વખતે તમામ રેશનકાર્ડધારકોને ૧-૧ કિલો તુવેરદાળ આપવાની જાહેરાત કરાઇ છે. રેશનકાર્ડધારકો તડકાંમાં ધક્કા ખાય છે, દુકાનદારોએ કહ્યું કે, પરમિટ નીકળી ગઈ છે, પૈસા પણ ભરી દીધા છે. પરંતુ જથ્થો હજી સુધી મળ્યો નથી.

સસ્તા અનાજનું વિતરણ કરનાર દુકાનદારોએ કહ્યું કે, ગત ૩૧મી માર્ચે તુવેરદાળ માટે પરમીટ નીકળી ગઇ છે, સસ્તા અનાજની દુકાનના માલિકોના એકાઉન્ટમાંથી પૈસા પણ ભરાઈ ગયા છે, પરંતુ આજે ૧૦ એપ્રિલ સુધી તુવેરદાળ જ મળી નથી. દાળનો જથ્થો શાહીબાગ ગોડાઉનમાં આવશે ત્યારબાદ સમયસર દાળ પહોંચશે તો શનિવાર અથવા સોમવારથી દુકાનદારો તુવરેદાળનું વિતરણ કરશે. પુરવઠા વિભાગના અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપે છે. બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા સાઇલન્ટ કરાયેલા રેશનકાર્ડને લઇને ઓનલાઇન કેવાયસીની પ્રક્રિયા માટે પુરવઠા વિભાગની કચેરીએ પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી રેશનકાર્ડધારકો ધક્કે ચઢયા છે.