ઝાલોદના નાનસલાઈ ગામે બાઈક ચાલકે રાહદારીને ટકકર મારતાં સારવાર દરમિયાન મોત

ઝાલોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામે એક મોટરસાઈકલના ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે,

ગત તા.09મી એપ્રિલના રોજ ઝાલોદના નાનસલાઈ ગામે ઉમરી ફળિયાયામાં રહેતાં કનુભાઈ સુરસીંગભાઈ કામોળ ઝાલોદના લીમડીથી ઝાલોદ તરફ આવતાં રસ્તા ઉપર નાનસલાઈ ગામેથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતા. તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કનુભાઈને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં કનુભાઈને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે અર્થે લઈ જવામાં આવ્યાં હતા. ત્યારે ગતરોજ સારવાર દરમ્યાન કનુભાઈનું મોત નીપજતાં આ સંબંધે મિનેષભાઈ કનુભાઈ કામોળે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.