મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાએ એક આદિવાસીના માથા પર પેશાબ કર્યો,રાહુલ

સિવની,કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી સિવની જિલ્લાના ધનૌરામાં સભાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું, આદિવાસીઓ આ દેશ અને આ જમીનના પ્રથમ માલિક છે. રાહુલે કહ્યું કે, મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાએ એક આદિવાસીના માથા પર પેશાબ કર્યો. આ તેમની વિચારધારા છે.

રાહુલ ગાંધીએ સભાને સંબોધતા કહ્યું કે તમે બધા મને સાંભળવા દૂર દૂરથી અહીં આવ્યા છો. આદિવાસી સમાજના ઘણા લોકો અહીં હાજર છે, કોંગ્રેસ પાર્ટી તમને આદિવાસી કહે છે, તો બીજી તરફ ભાજપ, પીએમ મોદી અને અમિત શાહ તમને વનવાસી કહે છે. રાહુલે કહ્યું કે આ શબ્દો પાછળ બે અલગ અલગ વિચારધારા છે. આદિવાસી શબ્દનો અર્થ એ છે કે જેઓ આ દેશની આ જમીનના પ્રથમ માલિક હતા.

તેમણે કહ્યું કે જો તમે પહેલા માલિક છો તો દેશની જમીન, પાણી, જંગલો અને સંપત્તિ પર તમારો અધિકાર છે. જ્યારે વનવાસી એટલે જંગલોમાં રહેતા લોકો, વનવાસી શબ્દ પાછળ એક વિચારધારા છે. સૌ પ્રથમ, આ શબ્દ તમારા ઇતિહાસ, તમારી ભાષાઓ, તમારી જીવનશૈલીને ભૂંસી નાખવાનો પ્રયાસ કરે છે. બીજી બાજુ, જ્યારે અમે તમને વનવાસી કહીએ છીએ, તો તેનો અર્થ એ છે કે વનવાસીઓને જમીન, પાણી કે જંગલનો અધિકાર મળવો જોઈએ નહીં. કારણ કે વનવાસી હોવાનો અર્થ એ છે કે તમે જંગલમાં રહો છો, તો તમને જંગલમાં કોઈ અધિકાર કેવી રીતે મળશે.