
અમદાવાદ, લોક્સભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ઈલેકશન કમિશર દ્વારા બહાર પાડેલ ગાઈડ લાઈનના પગલે આંગડિયા પેઢીઓએ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં રોકડના વ્યવહારો સોમવારથી બંધ કરવાનું નક્કી કર્યુ છે.
તાજેતરમાં ઈન્ક્મટેક્સ સહિતની એજન્સીઓ દ્વારા મોટી રકમ જપ્ત કરવાના લીધે રાજ્યના આશરે ૨૨૦૦ જેટલા આંગડિયા પેઢીઓ દ્વારા સોમવાર એટલે કે, ૮મીથી હવાલાનું કામકાજ બંધ રાખવાનું નક્કી કર્યુ છે.જેના લીધે અમદાવાદમાં દરરોજના આશરે રૂ.૩૦૦ કરોડના રોકડના વ્યવહારો બંધ થવાના લીધે બજારમાં રોકડ રકમની અછત ઉભી થશે. આજે આંગડિયા પેઢીઓ દ્વારા તેમના દરરોજના રોકડના વ્યવહારો કરતા ગ્રાહકોને મેસેજ કરીને સોમવારથી કામકાજ બંધ રાખવાનું સૂચના અપાઈ છે.
અમદાવાદ શહેરમાં નાના-મોટા આશરે ૨૦૦થી વધુ આંગડિયા પેઢીઓ આવેલી છે અને ગુજરાતમાં આશરે ૨૨૦૦ જેટલા આંગડિયા પેઢીઓ આવેલી છે. જે દૈનિક કારોબાર આશરે ૩૦૦ કરોડથી વધુનો છે. જેમાં અહીંથી નાણાં મોકલવાનું અને બહારગામથી નાણાં લાવવાનું કામકાજ કરી રહ્યા છે. લોક્સભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ઈલેકશન કમિશર દ્વારા બહાર પાડેલ ગાઈડ લાઈનના પગલે આંગડિયા પેઢીઓ દ્વારા મોટી રકમના વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે પોલીસ સહિતના એજન્સી દ્વારા રોકડ સહિતના વ્યવહારો ઉપર સતત વોચ રાખી રહ્યા છે. ગુજરાતમાં કેટલીક જગ્યાએ આંગડિયા પેઢીઓ પાસેથી રોકડ રકમ મળી આવી હતી.જે ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા કબજે કરી દેવાઈ હતી.જેના પગલે રાજયભરના આંગડિયા પેઢીઓ દ્વારા સોમવારથી કામકાજ બંધ કરવાની સુચના આપી દેવામ્ઈ છે. આંગડિયા પેઢીની માલિકે નામ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં વેપારીઓના ધંધાના મોટાભાગના વ્યવહારો રોકડમાં થતા હોય છે. અમદાવાદમાં દરરોજના આશરે ૩૦૦ કરોડના વ્યવહારો થતા હશે, જયારે ગુજરાતના આશરે ૮૦૦ કરોડની આસપાસના વ્યવહારો થતા હોય છે.