ગયા વર્ષે સિંગાપોરમાં છેતરપિંડીના કેસમાં ૧૮ ટકાનો વધારો થયો

સિંગાપોર, તમે ભારતમાં છેતરપિંડીના કેસ વિશે વારંવાર સાંભળ્યું અથવા વાંચ્યું હશે. પરંતુ, શું તમે જાણો છો કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વના તમામ દેશોમાં છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. સિંગાપોર પણ તેમાંથી એક છે. સિંગાપોરમાં, છેતરપિંડી કરનારાઓ લોકોને ફસાવવા અને પછી તેમની મહેનતની કમાણી ચોરી કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવે છે. તમે કલ્પના કરી શકો છો કે સિંગાપોરમાં છેતરપિંડી કેટલી મોટી સમસ્યા છે તે હકીક્ત પરથી ગૃહમંત્રીએ સંસદમાં તેના વિશે માહિતી આપવી પડી.

માહિતી આપતાં ગૃહમંત્રી કે શનમુગમે કહ્યું કે ગયા વર્ષે સિંગાપોરમાં ૫૦૦ સ્થળાંતરિત ઘરેલું કામદારો છેતરપિંડીનો શિકાર બન્યા છે. સિંગાપોરમાં મોટાભાગના ઘરેલુ કામદારો ભારત, શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાંથી આવે છે. બુધવારે સંસદમાં એક પ્રશ્ર્નના જવાબમાં શનમુગમે જણાવ્યું હતું કે એજન્સીઓ નિયમિતપણે સિંગાપોરમાં કાર્યરત કામદારો માટે છેતરપિંડી વિરોધી જાગૃતિ અભિયાન ચલાવે છે. ષણમુગમે સંસદમાં જણાવ્યું હતું કે ૨૦૨૩માં લગભગ ૫૦૦ સ્થળાંતરિત ઘરેલું કામદારો છેતરપિંડીનો શિકાર બન્યા છે. આ ૨૦૨૨ કરતાં ૧૮ ટકા વધુ છે.

ગૃહમંત્રી કે શણમુગમે કહ્યું કે વર્ષ ૨૦૨૨માં છેતરપિંડીના ૪૨૩ કેસ નોંધાયા હતા જ્યારે ૨૦૨૩માં આવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. આવા મામલામાં કામદારોમાં જાગૃતિ લાવવાના પ્રશ્ર્નના લેખિત જવાબમાં શનમુગમે કહ્યું કે માનવશક્તિ મંત્રાલયના એક કાર્યક્રમ હેઠળ કામદારોને એવા ઉપાયો શીખવવામાં આવે છે જેના દ્વારા તેઓ છેતરપિંડીનો ભોગ બનવાથી બચી શકે.

શ્રમિકોને છેતરપિંડીની નવીનતમ પદ્ધતિઓ વિશે શિક્ષિત કરવામાં આવે છે જેથી તેઓ છેતરપિંડી શોધવામાં અને તેમના સમુદાયોમાં છેતરપિંડી અટકાવવામાં મદદરૂપ થઈ શકે, શનમુગમે કહ્યું, ધ સ્ટ્રેટ્સ ટાઇમ્સે અહેવાલ આપ્યો. વર્ષ ૨૦૨૩માં છેતરપિંડીના આંકડા મુજબ આવા કેસોની સંખ્યા ૪૬,૫૬૩ છે. પોલીસે અગાઉ કહ્યું હતું કે, ૨૦૨૧માં ઈન્ટરનેટ દ્વારા વિદેશી ઘરેલુ કામદારોને લલચાવવા અને લોન આપવાના નામે છેતરપિંડી જેવા મોટા ભાગના મામલા નોંધાયા હતા.