ભચાઉથી ૧૪ કિમી દૂર નેર નજીક ૨.૯ની તિવ્રતાનો આફ્ટર શૉક નોંધાયો

ભુજ, ભૂકંપના પર્યાય બની ચૂકેલા કચ્છ જિલ્લામાં સમયાંતરે ભુકંપના આચકાઓ આવતા રહે છે. ગત ગુરુવારની મધ્યરાતના ૩:૨૫ મિનિટે ભચાઉ તાલુકાના કડોલ નજીક ૨.૯ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો, જે બાદ આજે સવારે ૯.૧૨ મિનિટે એજ વિસ્તારમાં ૨.૮ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયું છે.લગાતાર આવતા રહેતા આફ્ટર શોકના કારણે કચ્છમાં ધરા ધ્રુજવાનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહ્યો છે.

કચ્છમાં સતત ભૂકંપના આચકાઓ આવે છે, ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઈન ઉપર આંચકાઓની સંખ્યા વિશેષ નોંધાતી રહે છે. જોકે, સામાન્યથી મયમ કક્ષાના આંચકાઓથી જાનમાલને કોઈ નુક્સાન પહોંચતું નથી.તાલુકા મથક ભચાઉથી ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલા રણ કાંઠા આસપાસ જિલ્લાની સમાંતર ભૂકંપના આંચકાઓ વિષેશ રૂપે આવતા રહે છે. આજે સવારે ૯.૧૨ મિનિટે નેર ગામ નજીક વધુ એક ૨.૯ની તિવ્રતા ધરાવતો આંચકો નોંધાયો છે. જે વાગડ ફોલ્ટલાઈનમાં ભૂગભય ગતિવતીને સાબિત કરે છે, જોકે, સામાન્ય આંચકાઓ મોટા આંચકોને નિવારતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે પણ ધરા ધ્રુજી હતી, તો આ પૂર્વે ગત ૧૭ના ખાવડા નજીક ૩.૩ અને તા.૫ના દુધઈથી ૨૬ કિલોમીટર દૂર રણ સરહદે ૩.૨ની તિવ્રતા ધરાવતો આટત શોક નોંધાયો હતો.