કાલોલના ડેરોલગામ પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો

કાલોલ,સી.આર.સી કો ઓર્ડીનેટર પ્રવીણભાઈ પટેલ દ્વારા બાળકો પાયાનું શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ જઈ પોતાના જીવનમાં જ્વલંત સફળતા મેળવી ગામનું તથા શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આજના આ કાર્યક્રમમાં ગામના યુવાન, ઉત્સાહી એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ પ્રકાશભાઈ રમેશભાઈ પરમારે વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ મેળવી ઉચ્ચહોદ્દા પર પદવી મેળવે તેવા આશીર્વાદ આપી ડેરોલગામ પ્રાથમિક શાળાને બાળકો ઠંડુ પાણી પી શકે તે માટે વોટર કુલરની ભેટ આપતા સૌ બાળકો અને શાળા પરિવાર આનંદિત થઈ ગયા.

ડી.ડી.પરમાર ( સુરત) દ્વારા બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી નવા શૈક્ષણિક સત્ર માટે ધોરણ-6 થી 8 ના તમામ બાળકોને યુનિફોર્મ આપવાની જાહેરાત કરવામાં આવી. દામુભાઈ તલાટી અને ગજેન્દ્રસિંહ આર.પરમાર દ્વારા શાળાએ કરેલ પ્રગતિની પ્રશંસા કરી શાળાની કામગીરીને બિરદાવી હતી. આમ, પરમાર પ્રકાશભાઈ રમેશભાઈના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો.

જેમાં ગામના ડેપ્યુટી સરપંચ તથા પંચાયતના સભ્યો, એસએમસીના સભ્યો, ડેરીના ચેરમેન તથા ગામના અગ્રગણ્ય નાગરિકો, સૌ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

શાળાના આચાર્ય પટેલ જયેશભાઈ દ્વારા આવેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી ધોરણ-8ના બાળકોને આર્શીવચન આપવામાં આવ્યા. શાળા પરિવાર તરફથી ધોરણ-8 ના તમામ બાળકોને પેડ, પેન અને સ્મૃતિચિન્હ આપવામાં આવ્યા. શાળાના શિક્ષિકા દર્શનાબેન દ્વારા વોટર કુલર અને ગણવેશના બંને દાતાઓ અને આવેલ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો. કાર્યક્રમના અંતે તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું અને આજના આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.